SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાત બરાબર ધ્યાનમાં રાખજો કે, ધર્માચાર્ય પાસે તમારે માર્ગદર્શન મેળવવાનું છે અને એ મુજબ તમારે ચાલવાનું છે. એમને તમારે દોરવાના નથી પણ એમનાથી તમારે દોરાવાનું છે. તમારી ધારણા મુજબના અભિપ્રાયો એમની પાસેથી તમારે મેળવવાના નથી, એમના અભિપ્રાય મુજબ તમારે ચાલવાનો પ્રયત્ન કરવાનો છે. સભા સર્વગચ્છીય તીર્થોમાં શું કરવું? સર્વગચ્છીય તીર્થોમાં પણ સામાન્ય નિર્ણયો લાવવા માટે ધર્માચાર્ય તો જોઈએ જ. જે મહત્ત્વના મુદ્દા હોય તેના નિકાલનો પણ ઉપાય જોઈએ કે નહિ ? કોઈપણ ગામ, તીર્થ કે સંઘની બાબતમાં અમે ગમે તેમ પ્રથમદર્શી વાતો જાણીને જ અભિપ્રાય આપી ન દઈએ.એમાં તો ક્યારેક લાભને બદલે નુકસાન પણ થઈ જાય. મૂળ વાત પર આવો. શ્રીમંતોને ધર્મક્ષેત્રોનું સુકાન કેમ સોંપવું તેની વાત ચાલતી હતી. એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, શ્રીમંતાઈ એ પુણ્યોદયથી પ્રગટેલો ગુણ છે. આ ગુણ સાથે આત્મશુદ્ધિમાંથી (ક્ષયોપશમભાવમાંથી) પ્રગટેલા ઔદાર્ય વગેરે ગુણો હોય તો જ આ ગુણની કિંમત છે. જો શ્રીમંત હોય પણ એને સંઘ કે શાસન માટે કોઈ ભાવ જ ન હોય, એનામાં ઉદારતા-નમ્રતા વગેરે ગુણો ન હોય,શ્રીમંતાઈના ભોગે સંઘ-શાસનની સેવા કરવાના બદલે સંઘશાસનના ભોગે પોતાની શ્રીમંતાઈને જાળવવા-વધારવાનો ભાવ હોય, તો તેવા શ્રીમંતને આવા સ્થાને મૂકી ન શકાય. એક ગામમાં વ્યાખ્યાનમાં પાથરવાની જાજમ ફાટી ગઈ હતી. મુનિમજી નવી ખરીદી લાવ્યા. વ્યાખ્યાન વખતે ગામના આગેવાન શ્રીમતે નવી જાજમ પાથરેલી જોઈ. તરત મુનિમને બોલાવી પૂછ્યું, “જાજમ નવી કેમ ?' જવાબ મળ્યો, “જૂની ફાટી ગઈ હતી, તેથી નવી લાવ્યા.” શેઠે પૂછ્યું, “ક્યા ખાતામાંથી चेइहरेण केइ पसंतरूवेण केइ बिंबेण । पूआइसया अने बुझंति तहोवएसेण ।। - વેલ્યવંત્ર મઠમાષ્ય, ૬૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy