SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, લોકમાં પણ જે જે પ્રવૃત્તિઓને નિંદ્ય કહેવાય તેવી માંસાહાર, મદિરાપાન ચોરી, શિકાર, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, નિંદા વગેરે લોકવિરુદ્ધે પ્રવૃત્તિ કે ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય, તે વ્યક્તિ જો ધર્મક્ષેત્રનો વહીવટ કરે કે તો તેનાથી શુભભાવની વૃદ્ધિ પણ થતી નથી અને ધર્મની પ્રભાવના પણ થતી નથી. આવો વહીવટદાર પોતે જ અંદરથી વ્યથિત હોય છે અને લોકો પણ એને અનાદરની નજરે જુએ, એટલે એની વાત આદેય ન બને. ઘણીવાર તો આવા વહીવટદારનાં સ્વજનો ધર્મના ક્ષેત્રમાં અધિકારપૂર્વક પગપેસારો કરી ધર્મક્ષેત્રને સંક્લેશમય બનાવે છે, તો કેટલીકવાર ધર્મક્ષેત્રને અધર્મનો અડ્ડો બનાવવા સુધી પણ પહોંચે છે. એટલે આ વિષયમાં ઘણી બધી રીતે વિચારવાનું છે. એટલા જ માટે ધર્મક્ષેત્રનો વહીવટ કરનાર પુણ્યાત્માનાં સ્વજનો સારાં અને અનુકૂળ હોવાં જરૂરી છે. આ સંદર્ભમાં એક મુદ્દો એ પણ વિચારણીય બને છે કે, એનાં સ્નેહી-સ્વજનો સારાં અને અનુકૂળ ક્યારે હોય ? એનો પોતાનો સ્વભાવ સારો હોય તો, એણે પોતાનાં સ્વજનોનું સા૨ી ૨ીતે ઘડતર કર્યું હોય તો. જેનો પોતાનો સ્વભાવ સારો હોય તે ઘર-પરિવારવાળાને, બધાને જ પ્રિય હોય. એ બધાને જાળવીને જીવતો હોય. આ રીતે જીવ્યો હોય એટલે આપોઆપ બધા એને અનુકૂળ થઈને રહે. એનો મોટામાં મોટો ફાયદો એ થાય કે, એ વ્યક્તિ ગમે તેટલા કલાક ધર્મ-ધર્મક્ષેત્ર સંચાલન માટે આપે તો પણ એના પરિવારજનો એને કશું ન કહે . એ મુદ્દે ક્યારેય ક્લેશ-કંકાશ ન કરે, ઉપરથી કહે કે, અમારી ચિંતા ના કરશો. તમે શાસનનું કામ કરજો, અમે અહીંનું બધું સંભાળી લેશું. જે વ્યક્તિ કુટુંબ સાથે સારો વ્યવહાર કરી ન શકે તે ધર્મસ્થાનમાં સારો વ્યવહાર શી રીતે કરી શકે ? જે પોતાના કુટુંબનો પ્રેમ-વિશ્વાસ મેળવી ન શકે તે ધર્મક્ષેત્રમાં અપરિચિતોનો પ્રેમ-વિશ્વાસ શી રીતે મેળવી શકે ? જે કુટુંબીઓ સાથેના વ્યવહારમાં પણ પોતાનો સ્વાર્થ ગોણ ન કરી શકે તે ધર્મક્ષેત્રમાં શી રીતે ૧૮ नूनमल्पश्रुतस्यापि गुरोराचारशालिनः । हीलना भस्मसात् कुर्याद् गुणं वन्हिरिवेन्धनम् ।। द्वात्रिंशिका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy