SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અહિતકર સત્ય પીરસાઈ જાય તો સભાને ગેરમાર્ગે દોરવાનું પાપ ઉપદેશકને લાગે. તેમનું અહિત થાય તે દોષ ઉપદેશકને લાગે. એ જ રીતે એની સામે બધી સમજણ, શક્તિ અને અધિકાર હોવા છતાં સ્વાર્થવશ મૌન રહીએ તો આવનાર જે ઊંધું લઈ જાય, એનું પણ પાપ ધર્મોપદેશકને લાગે. સભા મૌન રહીએ તો પાપ લાગે ? હા. આ જ તો અનેકાંત છે. આમ મૌન રહીએ તે ધર્મ, પણ હિતકર એવા સત્યનું પ્રકાશન કરવાના અવસરે મૌન રહીએ તો અધર્મ, અમારાં પાંચ મહાવ્રત લોપાઈ જાય, અમે માત્ર વેશમાં જ સાધુ રહીએ. એટલા માટે તો લખ્યું કે – आणाभंगं दटुं, मज्झत्था णु हवंति जे तुसिणा । अविहि अणुमोयणाए, तेसि पि होइ वयलोवो ।।१।। “આજ્ઞાનો ભંગ થતો જોઈને જેઓ મધ્યસ્થભાવને ધરીને મૌન રહે છે, તેઓને અવિધિની અનુમોદનાના કારણે તેમનો પણ વલોપ થાય છે.” કલિકાલસર્વજ્ઞ પ્રભુ તો આગળ વધીને બીજી વાત કરે છે : धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनाऽपि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ।। “ધર્મનો નાશ થતો હોય, ક્રિયાઓ લોપાતી હોય, સર્વજ્ઞશાસનના સિદ્ધાંતો સામે બળવો પોકારાતો હોય એવા અવસરે શક્તિસંપન્નને કોઈ પૂછે કે ન પૂછે પણ તેને અટકાવનારી વાણી ઉચ્ચારવી જ જોઈએ.” પરંતુ જેનામાં એવી યોગ્યતા-શક્તિ ન હોય, તેણે કશું જ નથી કરવાનું. માટે જ લખ્યું કે - જેનામાં ગીતાર્થતા વગેરે આવશ્યક ગુણો ન હોય તે જો ધર્મોપદેશ આપે કે શાસનની રક્ષા-પ્રભાવનાની કોઈપણ પ્રવૃત્તિ પોતાની રીતે કરે તો તે જૈનશાસનનો-જિનાજ્ઞાનો નાશ કરે છે. શ્રી “સન્મતિ તક'માં જણાવ્યું કે - उस्सुत्तभासगाणं बोहिणासो अणंतसंसारो। पाणच्चये वि धीरा उस्सुत्तं तो न भासंति ।। - વિશેષાવાર ભાષ્ય ૪૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy