SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તમારાં સંતાનો - તમારી આવનાર પેઢીનું તમે કોઈ ઘડતર કર્યું નથી. જે વિપરીત શિક્ષણ તેઓ પામે છે, તેનાથી પાકા નાસ્તિક બની રહ્યા છે. સાતે ક્ષેત્રો અંગેની શ્રદ્ધા તેમનામાં રહી નથી અને પરિણામે તમારા સ્થાને વહીવટમાં આવ્યા બાદ તેઓ આ બધું દ્રવ્ય સામાજિક ક્ષેત્રમાં વાપરી દે એમ પણ બને. માટે જ આ અપવાદિક આજ્ઞા બતાવી કે દેવદ્રવ્યનો ઉપયોગ કરી બધાં જ પ્રાચીન તીર્થો, મહાતીર્થો અને જિનાલયોના જીર્ણોદ્ધાર કરી દેવા જોઈએ. બધા જ જીર્ણોદ્ધાર થઈ જાય છતાં દેવદ્રવ્ય વધે તો જ્યાં જ્યાં વસતિ હોય, ત્યાં ત્યાં નૂતન ચૈત્યોના નિર્માણમાં એ દ્રવ્ય લગાવી દેવું જોઈએ. પરંતુ આ બધાં કાર્યો બરાબર ક્યારે થાય ? શ્રાવકસંઘનું નેતૃત્વ બરાબર હોય તો ! આજે તો અમારું - આચાર્યોનું પણ સંઘ પરનું નેતૃત્વ ગયું. એક જ ગામમાં કેટલાં તડાં ? ઓસવાલ-પોરવાલ, દશા-વીસા, તમે જ બોલો ! અમને પણ કહી દે ‘વાવસી ! થેં જો નજો મંજૂર પળ અઢે તો નૈ નીજી ને ન !' એમની વાત આવે ત્યાં પક્કડ પાકી ! આ રાજસ્થાનમાં કેવાં તીર્થ જેવાં મંદિરો છે ! એક એક પ્રતિમાઓ કેવી બેનમૂન છે ! પૂર્વજોએ પાણીની જેમ પૈસા રેડીને આ ધામો બનાવ્યાં છે. મોગલ આક્રમણો આદિથી એ આજે ખંડિત-જર્જર અવસ્થામાં મળે છે. જેમના હાથમાં એનો વહીવટ છે, તેમની પોતાની પાસે દેવદ્રવ્યના કરોડો રૂપિયા છે. પોતે એનો જીર્ણોદ્ધાર કરતા નથી, બીજા સ્વદ્રવ્ય કે સંઘના દેવદ્રવ્યથી ક૨વા માગે તો તેને કરવા દેતા નથી. આ રીતે હક કરવાથી પોતાની દુર્ગતિ ઊભી થાય છે, એ તેઓ શું જાણતા નથી ? ચાલુ વર્ષે મારે ગિરનારજીના સંઘમાં નિશ્રા આપવાનું થયું. નાનો હતો ત્યારે ગયેલો, પણ બહુ ધ્યાન નહિ . આ વખતે ગિરનારજી ગયો તો કાળજીપૂર્વક બધું જોયું. એક એક જિનમંદિર અને પ્રતિમા અદ્ભુત છે. શ્રી નેમિનાથ પરમાત્માનાં જ્યાં ત્રણ-ત્રણ કલ્યાણક થયેલાં છે અને સંઘ-શ્રુતિ મુજબ આગામી ચોવીશીના ૪૨ जह भोयणमविहिकयं विणासए विहिकयं जीवावेइ । तह अविहिकओ धम्मो देइ भवं विहिकओ मुक्खं ।। - द्रव्यसप्ततिका टीका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy