SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં જ્યાં નૂતન જિનમંદિરોની આવશ્યકતા હોય ત્યાં ત્યાં વિધિપૂર્વક નવાં જિનાલયો બને, એ માટે ઘણું બધું વિચારવું જરૂરી છે. ઘણાં બધાં સ્થાને એવી પરિસ્થિતિ જોવામાં આવે છે કે, વહીવટદારો પોતાના સંઘમાં લાખો, કરોડોની દેવદ્રવ્યની ઊપજ થવા છતાં, ‘તે અમારી છે, અમારા સંઘમાં જ રહેવી જોઈએ' – તેમ માની દબાવી બેસી જાય છે. એના ઉપર - અનધિકૃત મમત્વ કેળવી માલિક બને છે, અન્ય સ્થાનોમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં મોકલતા નથી. પરિણામે જીર્ણશીર્ણ થયેલાં કે થવા આવેલાં ગામેગામનાં જિનમંદિરો-તીર્થો જોખમાય છે, પ્રભુપ્રતિમાની આભા નંદવાય છે, આરાધક આત્માઓનાં ઉત્તમ આલંબનો છિનવાય છે, એ બધું જ પાપ અયોગ્ય રીતે ૨કમ દબાવી રાખનાર એ વહીવટદારોના માથે આવે છે. કેટલાક કમનસીબ વહીવટદારો તો એવા હોય છે કે, સંઘે ખર્ચેલા અને વહીવટની રૂએ પોતાના કબજામાં આવેલા એ દેવદ્રવ્ય ઉપર માલિકબનીને બેસી જાય છે. જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં પણ ‘મને ટ્રસ્ટી બનાવો તો જ આ રૂપિયા આપું’ અને જો એને ટ્રસ્ટી બનાવવામાં ન આવે તો જીર્ણોદ્ધારની અપેક્ષા રાખતું દેરાસર પડી જાય તો પણ પોતાના વહીવટમાંથી એક પાઈ ન આપે. આવા વહીવટદારો માટે કઈ ગતિ હોઈ શકે, એ શાસ્ત્રો સાંભળો તો ખ્યાલ આવે. ન પૈસા કોઈએ ખર્ચ્યા અને માલિક એ બની બેસે, જિનમંદિર બનતાં અટકે કે જીર્ણ બનેલ જિનમંદિર પડી જાય એની દરકાર પણ ન કરે. સાવ સ્વાર્થાંધ વહીવટદારોની સદ્ગતિ શી રીતે થાય ? વહીવટદારે રૂપિયાનો માત્ર વહીવટ નથી ક૨વાનો, પણ ધર્મક્ષેત્રોની-સાતેય ક્ષેત્રોની વિધિ-બહુમાનપૂર્વક ભક્તિ કરવાની છે, અને એ માટે ધર્મક્ષેત્રમાં આવેલા એક એક રૂપિયાનો ધર્મક્ષેત્રની મર્યાદા મુજબ વિનિયોગ પણ કરવાનો છે; અને એ દ્વારા પ્રભુના શાસનને અને શાસનનાં પ્રત્યેક અંગોને ધબકતાં, પ્રાણવંતાં રાખી એના દ્વારા જગતના જીવમાત્રના કલ્યાણનું સર્જન કરવાનું છે. तप, संयम, दान आदि धर्म जिनाज्ञा से ही संपूर्ण फलदायी बनता है, जिनाज्ञाहीन केवल क्रियारूप किया गया धर्म तो घास की भांति छोडने लायक होता है । सुक्तिरत्नावली Jain Education International પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય For Private & Personal Use Only 33 www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy