SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાડી શકે અને એ એને જ શોભે. ગધેડા ઉપર જો અંબાડી મૂકવામાં આવે તો ગધેડોય મરે અને અંબાડી પણ તૂટે. તમારી વાત કરવી હતી તે માટે પહેલાં અમારી વાત કરી, હવે તમારી કરું. ધર્મક્ષેત્રની જવાબદારી લેતાં અને કોઈના માથે મૂકતાં બહુ જ ચોક્સાઈ કરવી જરૂરી છે. જો એમાં કાળજી ન રાખી તો જવાબદારી લેનાર અને દેનાર બેય દુર્ગતિના ભાગી બને છે. જેના શીરે ધર્મક્ષેત્રોની જવાબદારી મુકાઈ તે વ્યક્તિ જો સુયોગ્ય હોય અને સુયોગ્ય રીતે તે ધર્મક્ષેત્રની જવાબદારીનું વહન કરે તો તે યાવતુ તીર્થંકરનામકર્મનું ઉપાર્જન કરીને તીર્થકર બની શકે, અને તે પોતાના કલ્યાણ સાથે અગણિત જીવોનું કલ્યાણ કરી શકે. પરંતુ તેવી યોગ્યતા ન હોવા છતાં જો આ સાતક્ષેત્રની-ધર્મક્ષેત્રની જવાબદારી લેવા દેવાનું થાય, અને જવાબદારી લીધા પછી તેને યોગ્ય રીતે નિભાવી ન શકાય કે ઉપેક્ષા કરાય તો ધર્મક્ષેત્ર સિદાય. એનાથી એવું મહાપાપ બંધાય કે છેવટે સાતમી નરકે પણ જવું પડે અને ચિરકાળ સુધી દાવાનળ સમા આ સંસારમાં ભવભ્રમણ કરવું પડે, ભટકવું પડે. વહીવટમાં કોઈ પણ નિમિત્તે ઉપેક્ષા થાય, ક્યાંક કોઈનો અહં ટકરાય, કોઈ સ્વાર્થ આડો આવે અને જિનાજ્ઞાથી વિપરીત રીતે વહીવટ થાય, શાસનના મૂળભૂત માર્ગને ઠેસ પહોંચાડવામાં તમારાથી નિમિત્ત બની જવાય તો તેના દારુણ વિપાકો ભોગવવાનો વારો આવે. આ બધી બાબતોને ધર્મગ્રંથો દ્વારા જાણી એ જિનાજ્ઞાની ઉપેક્ષાથી બચશો તો જ તમારું કલ્યાણ થશે. અજૈનોમાં એક વાત આવે છે : કોઈ માણસને પાયમાલ કરવો હોય તો કહેવાતું કે એને કોઈ મંદિરના પૂજારી બનાવી દેવો; કારણ કે જો એ પૂજારી થાય તો ક્યાંક કોઈ નિમિત્તે એ દેવદ્રવ્યના નાશમાં, ભક્ષણમાં નિમિત્ત બની જાય, જેથી કરીને દુર્ગતિમાં જાય અને પાયમાલ થાય. દેવદ્રવ્ય ખાનારની ભૂંડી ગતિ ત્યાં પણ બતાવવામાં આવી છે. स्वेच्छा से की गई सभी प्रवृत्ति जिनाज्ञारहित होने से संसारफल देनेवाली ही होती है। तीर्थंकर से संबंधित भी ऐसी क्रिया तात्त्विक रूप से तीर्थंकर से संबंधवाली नहीं बनती । - चैत्यवंदन महाभाष्य તા . ગ પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy