SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાને મેં ન સમજાવ્યા હોત તો આજે તમે આટલે ઊંચે આવ્યા હોત ?’આવો કોઈ ભાવ તેમને નથી આવ્યો. તેઓ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પ્રત્યે જીવનભર એક શિષ્યની જેમ સમર્પિત રહ્યા છે અને તેમની નાની-મોટી પ્રત્યેક આજ્ઞાઓ શિરસાવંઘ કરી છે. તેઓના જીવનનો આ ક્રમ હતો કે, રોજ જિનમંદિરે દર્શન-વંદનાદિ કરી ઉપાશ્રયે જતા અને વંદનાદિ કર્યા બાદ કાર્યસેવા પૂછતા કે, ‘ભગવંત ! સેવક યોગ્ય કોઈ કાર્યસેવા ?’ તમે વહીવટદાર છો. રોજ જિનપૂજા, ગુરુવંદન-પૂજન કરવાનો ને કાર્યસેવા પૂછવાનો તમારે કોઈ નિયમ ખરો ? આપણે ત્યાં ગુરુવંદનની વિધિ છે, તેમાં પણ કેટલી બધી બાબતો છે ! વંદન રોજ ક૨વાનું હોવા છતાં વંદન કરતાં પૂર્વે તે માટેની આજ્ઞા માંગવાની, તન-મનને સંસારનાં કાર્ય કે અન્ય એવી દરેક વિચારણાથી મુક્ત કરવાનાં અને મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક વંદના કરવાની. તે પછી ગુરુભગવંતની દરેક પ્રકારે કુશળતાની પૃચ્છના કરવાની. જેમાં પૂછવાનું કે, - ભગવંત ! આપની રાત્રિ - આપનો દિવસ સુખપૂર્વક વીત્યો ? - ભગવંત ! આપનો તપ સુખે - સારી રીતે ચાલે છે ? - ભગવંત ! આપનું શરીર નીરોગી-નિરાબાધપણે વર્તે છે ? - ભગવંત ! આપની સંયમ-યાત્રા સુખપૂર્વક પળે છે ? - ભગવંત ! આપને શાતા વર્તે છે ? - ભગવંત ! આહાર-પાણીનો લાભ આપશોજી ! આ પછી પણ ગુરુભગવંત સાથે થયેલા વ્યવહારમાં જે કાંઈ નાનો-મોટો અવિનય, આશાતના થયાં હોય તેની માફી માંગવાની છે. કેટલો બધો ૨૦ आकल्पव्यवहारार्थं श्रुतं न व्यवहारकम् । इति वक्तुर्महत्तन्त्रे प्रायश्चित्तं प्रदर्शितम् ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only पंचकल्पभाष्य www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy