SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬મા ભવમાં પ્રભુ દશમા પ્રાણી નામના દેવલોકમાં ઉત્પન્ન થયા. પરમ વેરક્તિ અને તત્ત્વચિંતનમાં નિમગ્ન બની, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું. ૨૭માં મવમાં પ્રભુ મા ત્રિશલાની કુક્ષીથી જન્મ પામ્યા, ૩૦ વર્ષની ઉંમરે સંયમધર્મનો વીકાર કર્યો, ત્યારબાદ સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી આપણા ઉપર બે જગતના નાથે જે ઉપકાર કર્યો છે તે કલ્પનાતીત છે. આપણા ઉપર પ્રભુનો ઉપકાર શું? એ અંગે આપણે તો સામાન્ય રીતે એટલું ૪ વિચાર્યું છે કે પ્રભુએ કેવળજ્ઞાન પામી શાસનની સ્થાપના કરી અને તે પછી પાડા ઓગણત્રીસ વર્ષ સુધી અવનિતલ પર વિહરી ધર્મબોધ આપ્યો; પણ બાપણી આ માન્યતા અધૂરી છે. પ્રભુએ શાસનની સ્થાપના કરી સાડા બોગણત્રીસ વર્ષ ધર્મબોધ આપ્યો, એ ઉપકાર તો ખરો જ, પણ તે પહેલાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી પ્રભુએ જે ઘોર સાધના કરી ઘોર ઉપસર્ગો સહન કર્યા, તે પણ આપણા ઉપર ઉપકાર કરવા માટે જ. સમર્થ શાસ્ત્રકાર-શિરોમણિ પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “યોગશતક' નામના મહાન ગ્રંથમાં લખ્યું છે કે, “પ્રભુ ધારત તો માત્ર ધ્યાનધારા દ્વારા પણ સ્વયં પોતાનાં કર્મોનો ક્ષય કરી શકત; આમ છતાં પ્રભુએ વિવિધ અભિગ્રહો કરીને સાડા બાર વર્ષની જે સાધના કરી, તે સાધકો ઉપર અનુગ્રહ કરવા માટે કરી છે.” ત્યાં લખ્યું છે કે, “મવિશ્ચરમાતા વર્મવશિતાયામપિ તથવિલિયतुग्रहाय जानानोऽपि विचित्रानभिग्रहानासेवितवान् ।' ભગવાન ચરમશરીરી હતા, કર્મો પોતાને વશ હતાં તેમ જાણતા હતા, છતાં શિષ્યોના-સાધકોના ઉપકાર માટે ભગવાને વિવિધ પ્રકારના અભિગ્રહો કર્યા. આ બધું કરીને પ્રભુએ ઘાતિકર્મનો ક્ષય સાધ્યો અને પ્રભુ વીતરાગ બન્યા, સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા તે પછી પ્રભુએ જે શાસન સ્થાપ્યું તે પણ આપણા ઉપર ઉપકાર કરવા માટે જ. પ્રભુ રાજકુળમાં જન્મ્યા હતા, સુખ-સમૃદ્ધિમાં ઉછર્યા હતા, ક્યારેય જમીન सम्यग्दृष्टि कोई श्रावक व्रत ले नहीं सकता हो पर हमेशा संघ की भक्ति एवं शासनप्रभावना करता हो तो वह भी प्रभावकश्रावक कहा गया है। - गुणस्थानक क्रमारोह टीका પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy