SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧૦ મિરપુર જૈન તીર્થના ટ્રસ્ટી, કેલકર કમિટીના સભ્ય નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પી. સી. પરમારે કરેલ માર્ગદર્શક વક્તવ્યનો સારાંશ મને લાગે છે કે, છેલ્લાં ઘણાં ઘણાં વર્ષોમાં ભારતના ટ્રસ્ટીઓના મિલનનો આ પહેલો-વહેલો જ પ્રસંગ છે. આ એક ખૂબ જ પ્રશંસનીય આયોજન છે. હું ઈચ્છું છું કે, આ પ્રથમ પ્રયાસ અંતિમ પ્રયાસ ન બની રહે. આના પછી આનાથી પણ મોટા પાયે સારી રીતે જાહેરાત કરીને ભારતના તમામ સંઘોના ટ્રસ્ટીઓને આમંત્રણ આપી, ગુરુભગવંતોની નિશ્રામાં શાસ્ત્રીય વહીવટ અંગેનું જ્ઞાન અપાવવું જોઈએ. મારે આ સત્રમાં ધર્મદ્રવ્યની વ્યવસ્થા માટેનું માર્ગદર્શન આપવાનું છે. પણ બે દિવસથી પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબનાં પ્રવચનો સાંભળું છું, ત્યારે લાગે છે કે, મારે કશું જ કહેવાનું રહેતું નથી. બધું મહારાજજીએ કહી જ દીધું છે. અમારી કેલકર કમિટી ભારતભરમાં ફરી આવી. ઘણાં ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓની મુલાકાતો લીધી. ઘણાંની અમારી સામે ફરિયાદ પણ રહેતી હતી. પરિશિષ્ટ-૧૦ : શ્રી પી. સી. પરમારે કરેલ માર્ગદર્શક વક્તવ્યનો સારાંશ ૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy