SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા દિવસે જન્માર્થ પ્રકાશન દ્વારા છપાયેલ ત્રણ હિંદી પુસ્તકોનું વિમોચન કરી પૂજ્યશ્રીને અર્પણ કરાયેલ. પુસ્તકનું નામ ९. जिनशासन के प्रति हमारा उत्तरदायित्व प्र : पू. आ. श्री विजयरामचन्द्रसूरिम. सा. વિમોચક : જ્ઞાનચંદજી જૈન २. जिनाज्ञा परममंत्र સમર્પક : બાબુભાઈ સંઘવી પ્ર : પૂ. આ. શ્રીવિનયીતિયશસૂરિ મ. સા. સમર્પક : કિશોરભાઈ સંઘવી પ્ર : પૂ. આ. શ્રીવિનયીર્તિયશસૂરિ મ. સા. વિમોચક : ટી. પી. ઓસ્તવાલ ३. प्रार्थना सूत्र के माध्यम से परमात्मा को प्रार्थना વિમોચક : ધનેશભાઈ સંઘવી સમર્પક : પં. માણેકલાલ સોનેથા કે. પી. સંઘવી ટ્રસ્ટ પરિવારે પૂજ્યશ્રીનું ગુરુપૂજન કર્યું તેમજ કામળી પણ વહોરાવેલ. આ પ્રસંગે પૂજ્યશ્રીના સમુદાયવર્તી તેમજ અન્ય-અન્ય સમુદાયવર્તી સાધ્વીજી ભગવંતો પણ પધાર્યાં હતાં. પરિવાર દ્વારા સંચાલિત સુમતિ જીવરક્ષા કેન્દ્રની પણ પૂજ્યશ્રીએ મુલાકાત લઈ ત્યાં ચાલતી જીવદયાલક્ષી પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. તીર્થમાં નિર્માણ થનાર જલમંદિર-સમવસરણ મંદિર અંગે પણ ટ્રસ્ટે માર્ગદર્શન માગતાં પૂજ્યશ્રીએ ત્યાં પધારી માર્ગદર્શન કરેલ. મરુધરમાં મીઠી વીરડી સમાન આ પાવાપુરી ધામ બન્યાને માત્ર બે વર્ષ થયાં છે. એ ગાળામાં ૬ લાખ જેટલા યાત્રાળુ અત્રે પધારી ચૂક્યા છે. ૫૦૦ વીઘા જમીન પર એ તીર્થ સંકુલ અને જીવદયા કેન્દ્ર પથરાયેલ છે. કે. પી. સંઘવી પરિવારે ત્રણે દિવસ આગંતુકોની ઉત્તમ ભોજ્યથી ભક્તિ કરી અને વિદાય સમયે ભાથું પણ બાંધી આપ્યું હતું. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં ય સંગીન શાસ્ત્રજ્ઞાન પામી ટ્રસ્ટીઓ ઘણા જ ઉત્સાહિત બન્યા છે. વિવિધ સંઘોએ પૂજ્યશ્રી પાસે બેસી અનેક વિષયોનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ પોતપોતાના સંઘ-તીર્થમાં ચાતુર્માસાદિ માટે પધારવા વિનંતીઓ પણ કરેલ. Jain Education International 13 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy