SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૪, ૫ અને ૬ એપ્રિલના દિવસો એ માટે નક્કી થયા. પ્રવચનપ્રભાવક પૂજ્યશ્રી માલગામ-સિરોડી થઈ પ્રથમ દિવસે પાવાપુરી તીર્થધામ ખાતે પધારતાં ટ્રસ્ટ અને સંસ્થાપક પરિવારે ભાવભર્યું સામૈયું કર્યું. અમદાવાદનું મિલન બેન્ડ આદિ સામગ્રી રાખેલ. કે. પી. સંઘવી પરિવારના મોભી બાબુકાકા તથા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ વગેરે પૂજ્યશ્રી સામે મન મૂકીને નાચી ઉઠ્યા. - ત્રણ દિવસ વ્યાખ્યાન-વાચનાશ્રેણી ખૂબ જ રસપ્રદ રહી. સવારે ૯ થી ૧૨ પછી બપોરે ૩-૩૦ થી ૫-૩૦ અને રાત્રે ૮ થી ૯ અથવા ૯ થી ૧૦ આમ ત્રણ-ત્રણ વ્યાખ્યાનો કુલ-૧૩ કલાક પ્રવચન થયેલ. લગભગ ૧૦૦ જેટલા ટ્રસ્ટીઓ ભારતભરમાંથી પધાર્યા હતા. તીર્થ સંસ્થાપક બાબુભાઈએ પ્રથમ સ્વાગત પ્રવચન કરી પોતાની ભાવના, મનમાં આવેલ વિચાર અને પૂજ્યશ્રીનો ઉપકાર વર્ણવ્યો. કિશોરભાઈ સંઘવીએ તીર્થમાં થયેલ કાર્યની વિગત પ્રસ્તુત કરી હતી અને પ્રકાશભાઈ સિરોડીવાળા (મેનેજિંગ ટ્રસ્ટી) એ તીર્થના ભાવિ વિકાસ કાર્યક્રમોનો નિર્દેશ આપ્યો હતો. ત્રણે દિવસ સભા સંચાલન કર્યું હતું સુરતના પંડિતવર્યશ્રી માણેકચંદજી સોનેથાએ ! ત્રણ દિવસ પ્રવચનોમાં પૂજ્યશ્રીએ પ્રારંભિક ભૂમિકા-ઉત્થાન, ટ્રસ્ટી કે સંચાલક બનવા માટે શાસ્ત્ર બતાવેલા ૧૨ જરૂરી ગુણો, ભક્તિપાત્ર એવા જિનમૂર્તિ આદિ સાતે ક્ષેત્રોની આવક-જાવકના માર્ગો તેમજ મર્યાદાઓ, કરુણાપાત્ર અનુકંપા અને જીવદયા ક્ષેત્રના સંચાલનનાં રહસ્યો તેમજ જયણાપાલનનાં મર્મો, ટ્રસ્ટીઓનાં કર્તવ્યો, જવાબદારીઓ, લાભ-નુકસાન આદિ અંગે ખૂબ જ તંદુરુસ્ત શૈલીમાં સમજાવેલ. રાત્રિ પ્રવચન દરમ્યાન તેઓશ્રીએ આત્માની આંતરિક લાયકાતના ઉઘાડ માટેનું માર્ગદર્શન આપવા અધ્યાત્મ સાધના એ વિષય ઉપર હિંદી ભાષામાં પ્રવચન આપેલ. છેલ્લા દિવસે પણ શ્રોતાઓના આગ્રહથી દિવસનું પ્રવચન પણ હિંદી ભાષામાં કરેલ. ત્રણ દિવસ પ્રાતઃ ઉષાભક્તિ, સાંજે સંધ્યાભક્તિનું આયોજન રહેતું. દેરાસરનો વિશિષ્ટ દીપક શણગાર અને રંગોળીઓ પણ થતી. પ્રભુભક્તિમાં તરબોળ કરવા વર્ધમાન જિનભક્તિ મંડળ કાંદીવલીના પરેશભાઈ આદિએ નિઃસ્વાર્થ સેવા પ્રદાન કરી સૌને પ્રભુભક્તિમાં લીન કરેલ. આ અવસરે ભારતભરમાંથી માનવંતા ટ્રસ્ટીઓ પધારેલા, જેમાં નાકોડા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંપાલાલજી સાથેચા, નાગેશ્વર તીર્થના શ્રી દીપચંદજી 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy