SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પાવાપુરી તીર્થધામમાં સુસફળ ટ્રસ્ટી સ્નેહ-મિલન ૬૦૦ થી વધુ ટ્રસ્ટીઓ પથાર્યા * ત્રણ દિવસમાં ૧૩ કલાક વ્યાખ્યાન-વાચના, સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપાને લગતું શાસ્ત્રીય માર્ગદર્શન અપાયું * પ્રતિવર્ષ સંમેલનની માગણી *ટ્રસ્ટીઓનું ભાવભર્યું બહુમાન * કે. પી. સંઘવી ટ્રસ્ટનું ઉદાર આયોજન * યાદગાર માહોલ * મરુઘનું અભિનવ પાર્શ્વઘામ=પાવાપુરી તીર્થઘામ વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ. સા. તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા. ના રાજસ્થાનમાં વિચરણ થવાના સમાચાર મળતાં જ પાવાપુરી તીર્થધામના અગ્રણી સંસ્થાપક ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સંઘવીએ હસ્તગિરિ તીર્થે આવી પૂજ્યશ્રીને પોતાના તીર્થંગણે સ્થિરતા કરી જ્ઞાનદાન કરવા અંગે વિનંતી કરેલ. વર્ષોથી એમની ભાવના હતી કે મારી જેમ જ ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓ મારા આંગણે આવી મારું બહુમાન સ્વીકારે અને તેમની સાથે સદ્ગુરુના શ્રીમુખે સહુ મળી ટ્રસ્ટીઓની જવાબદારીઓ, કર્તવ્યો, ભૂમિકા અને લાયકાત અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ. એ ભાવનાને સાકાર કરવા તેમણે ભારતવર્ષીય તીર્થક્ષેત્ર અને ધર્મધામોના ટ્રસ્ટીઓનું એક સ્નેહમિલન-બહુમાન સમારોહ યોજવાનું નિર્ધાર્યું. સુંદર પોસ્ટર બનાવી ગામેગામ - સંઘો અને તીર્થધામો ૫૨ મોકલ્યું. સંધોતીર્થોના ટ્રસ્ટીઓ પાસેથી જરૂરી ફોર્મો પણ ભરાવી મંગાવ્યાં. વિ. સં. ૨૦૫૯, ચૈત્ર સુદ પ્ર. ૩, દ્વિતીય-૩ અને ૪, શુક્ર, શશિન અને રવિ, Jain Education International 10 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy