SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બધાને રવાના કર્યા અને પછી આગેવાન ઉપાશ્રયમાં દાખલ થયા.એમને જોઈને બન્નેય વૃદ્ધ મહાત્માઓ ભય પામી ગયા. આગેવાને જાણે કશું જ ન બન્યું હોય તે રીતે મોટેથી ‘સ્થિણ વંલક' કહ્યું. નજીક જઈને બન્નેય મહાત્માઓને વિધિવત્ વંદન કર્યું. જે મહાત્માને વાગ્યું હતું, તેમને તપાસી દવા વગેરે લગાડી આપી, ઉપચાર કર્યો. પછી હળવાશથી પૂછ્યું, આ વાગ્યે શી રીતે ? મહાત્માઓ હૈયાના સરળ હતા. આવેશમાં આવી ગયા, ભૂલ થઈ ગઈ એ બધું ખરું, પણ મનમાં કપટનો કોઈ ભાવ ન હતો, છુપાવવાની કોઈ વૃત્તિ ન હતી. સહજતાથી કહ્યું કે, આવા કારણે ઝઘડો થયો અને એમને મારવા જતાં મને વાગી ગયું. આગેવાન શ્રાવકે બન્નેય મહાત્માઓને ભેગા બેસાડ્યા. કહેવા જેવું બધું જ કહીને તમારા કારણે આજે શાસનની કેટલી બધી અપભ્રાજના થઈ, એ પણ સમજાવ્યું. જરૂર લાગી ત્યાં કડક થઈને મરચાં લાગે એવું પણ કહ્યું. બન્નેયની આંખોમાં આંસુ હતાં. હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ હતો. બન્નેએ પરસ્પરની ક્ષમાપના કરી અને ફરી ક્યારેય આવું નહીં થાય તેવી આગેવાન શ્રાવકને ખાતરી આપી. પ્રશસ્તબુદ્ધિવાળા, આવા સૂક્ષ્મબુદ્ધિશાળી વિવેકી આગેવાનો, વહીવટદાર શ્રાવકો હોય તો તેઓ શ્રીસંઘ અને શાસનની કેવા કેવા અવસરે, કેવી કેવી સેવા, રક્ષા, પ્રભાવના કરી શકે! મારા પરમતારક ગુરુદેવશ્રીજી કહેતા હતા કે, “શરૂઆતમાં તો હું બહુ ગભરાઈ ગયો હતો કે હવે શું થશે ? પણ આ પુણ્યાત્માએ જે રીતે વિવેકપૂર્વક કામ કર્યું, તે જોઈને મનને ઘણો સંતોષ થયો. શ્રીસંઘના આગેવાનો કેવા હોવા જોઈએ તે આના ઉપરથી સમજાવું જોઈએ. સભા : શ્રાવકથી આવું કરાય? આવું એટલે કેવું? આવું ન કરાય તો શું ગામમાં વાતો કરાય? વિનય અને કામ છે . दिनं सुहं पि दाणं होइ कुपत्तमि असुहफलमेव । सप्पस्स जहा दिनं, खीरं वि विसत्तणमुवेइ ।। I - યુનાન પ્રગોપાલ ૯૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy