SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાને આબાદ ઉગારી લીધાનો પણ ખ્યાલ આવી ગયો. તેમણે તરત જ શ્રાવકને ઉદ્દેશીને કહ્યું : “પુણ્યાત્મન્!તમે મને સમય નથી પૂછયો પણ અવસર ઓળખાવીને મને વ્રતભંગના પાપથી બચાવી લીધો છે. હવે તમે નિશ્ચિત રહેજો, આ મોદકોનો હવે કોઈ ઉપયોગ નહિ જ થાય.” શ્રાવકે તહત્તિ કહીને મવિલામ કર્યું અને પાછા ફર્યા;પણ થયું કે કદાચ હજુ કર્મનો હુમલો આવે અને વતભંગની શક્યતા ઊભી થાય તો બચાવી લઉં, એમ માની અવિશ્વાસ વ્યક્ત ન થાય અને મર્યાદા ન તૂટે તે રીતે મહાત્માથી થોડુંક અંતર રાખી પાછળ પાછળ ગયા. મનમાં ક્યાંય એવો ભાવ ન હતો કે “રંગે હાથ પકડી લઉં.' મહાત્મા ગામ બહાર ગયા. નિર્જનસ્થાન જોઈનીચે બેઠા.ઝોળીમાંથી એક એક લાડુ કાઢીને ત્યાં રહેલી રાખમાં ચોળી વિધિ મુજબ પરઠવવાની ક્રિયા કરી.આ બધું જદશ્ય દૂર ઊભાં ઊભાં જ શ્રાવકે જોયું અને ઊંડો સંતોષ અનુભવ્યો. તેમણે દૂરથી જમુનિરાજને ભાવથી વંદના કરી અને પોતાને ઘરે ગયા. મુનિરાજ પણ ઉપાશ્રયે આવી આલોચના કરી શુદ્ધ થયા.આ કહેવાય પ્રશસ્તબુદ્ધિ, સૂક્ષ્મબુદ્ધિ. સંઘનો વહીવટ કરનાર પુણ્યાત્માના જીવનમાં આવા તો અનેક પ્રશ્નો અવાર-નવાર આવવાના. ક્યાંક સાધુની ભૂલ હોય, ક્યાંક સાધ્વીની ભૂલ હોય, ક્યાંક શ્રાવકની ભૂલ હોય કે ક્યાંક શ્રાવિકાની ભૂલ હોય; ચારેય શ્રીસંઘનાં જ અંગ છે, એમાંથી કોઈનેય ઉઘાડા પડાય નહિ. એ જ રીતે એમની ભૂલને પોષાય પણ નહીં કે એ સામે આંખ આડા કાન પણ કરાય નહીં. આવા પ્રસંગે એક એક પગલું સૂક્ષ્મબુદ્ધિથી પૂર્ણ વિવેકપૂર્વક ભરવું જોઈએ અને એ ભૂલનો આ રીતે પ્રશસ્તબુદ્ધિ અને સૂક્ષ્મબુદ્ધિથી નિકાલ લાવવો જોઈએ. તમારી ખુદની જ દીકરીનો માનો કે ક્યાંક ખોટા રસ્તે પગ પડી ગયો હોય અને કોઈ તમને કહેવા આવે તો તમે શું કરો ? કહેવા આવનાર સાથે તમે કેવી વાત કરો ? અને દીકરીને એકાંતમાં લઈ જઈને તમે એને શું કહો ? એ બધી વાત તો તમારા અનુભવની જ છે ને ? આ બધું તમને કોણે શિખવાડ્યું. જેવો નો કટકો न कयं दिणुद्धरणं न कयं साहमियाण वच्छल । हिययंमि वीअराओ, न धरिओ हारिओ जम्मो ।। - વિટીલ ૮૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy