SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈપણ પ્રવૃત્તિ કરતાં લક્ષ્ય કયું જોઈએ અને એ લક્ષ્ય બાંધ્યા પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા ક્યારે કઈ પ્રવૃત્તિ કરવી, ન કરવી, એ બધું ઉત્સર્ગ-અપવાદ અને નિશ્ચય-વ્યવહારના જ્ઞાનથી નક્કી થાય છે. ભગવંતે દર્શાવેલી પ્રત્યેક આજ્ઞાનો ઉલ્લેખ સૂત્રમાંથી મળે છે અને એ સૂત્રાત્મક આજ્ઞાનું ઊંડાણ એના અર્થમાંથી મળે છે. એટલે પ્રભુની આજ્ઞાના મૂળ સુધી પહોંચવા સૂત્ર અને અર્થનું જ્ઞાન જરૂરી છે. એ સૂત્રાર્થના જ્ઞાનનો સમ્યગુ વિવેક કરવા ઉત્સર્ગ-અપવાદના જ્ઞાનની જરૂર છે અને એ ઉત્સર્ગ-અપવાદના આચરણ સમયે અંતરંગ પરિણાતિને ઉચિત ઢાળ આપવા અને બાહ્ય વ્યવહારને ઉચિત આકાર આપવા નિશ્ચય-વ્યવહારના જ્ઞાનની જરૂર છે. આ બધું જ્ઞાન પ્રશસ્તબુદ્ધિ, સૂક્ષ્મબુદ્ધિ વિના શી રીતે પ્રગટે ? એ સમજાય એ માટે શાસ્ત્રમાં આવતું એક દષ્ટાંત સમજાવું છું : માસક્ષમણના તપસ્વી એક મહાત્મા હતા. માસક્ષમણના પારણે એક ઉત્તમ શ્રાવકના ઘરે વહોરવા ગયા. શ્રાવકે દરેક વસ્તુનું નામ દઈને વિનંતી કરી. મહાત્માને જે જરૂરી હતું તે વહોર્યું પણ ખરું, પરંતુ એ જમાનામાં જેને ઉત્તમમાં ઉત્તમ અને કીમતીમાં કીમતી કહી શકાય એવા સિંહ કેસરીયા મોદકની વિનંતી કરવાનું શ્રાવક ભૂલી ગયો. મહાત્મા ઉત્તમ હતા, છતાં કર્મયોગે “સિંહ કેસરીયા મોદક મનમાં વસી ગયા. ખાનદાની એવી કે મંગાય નહિ. ગોચરી વહોરી ઉપાશ્રયે આવ્યા. વિધિવત્ ગોચરી વાપરી, દિવસની બધી ક્રિયા કરી, રાત્રે સંથારો કરી સૂઈ ગયા. મનમાંથી મોદક ખસતા નથી, એમાંથી ચિત્તભ્રમ થઈ ગયો. વાયુ મગજ પર સવાર થઈ ગયો. અડધી રાતે ઊઠ્યા, પ્રતિક્રમણની ક્રિયા કરી, પ્રતિલેખન કર્યું, સ્વાધ્યાય કરી લીધો, પોરસી ભણાવીને પાત્રપ્રતિલેખન પણ કરી લીધું. થોડી વાર થઈ અને મધ્યાહ્ન થયું માની ઝોળી નાંખી વહોરવા નીકળી પડ્યા. એ જ શ્રાવકના ઘરે આવી પહોંચ્યા. ચિત્તભ્રમ એટલો પ્રબળ હતો કે “ધર્મલાભના प्रासादो दृश्यते जीणेः प्रत्यवायपद धनम् । ऋणं सर्वमभव्यं प्राग देवर्णं त्वशुभाशुभम् ।। કારણ પડ - વ્યસંતતિ ટીel ૮૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy