SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ બળથી યુક્ત. આવો જીવ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તો પણ પશ્ચાત્તાપ ન કરે. આનાથી વિપરીત જીવ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તો પશ્ચાત્તાપ કરે. પરિણામે જે પુણ્ય-લાભ મળવો જોઈએ તે ન મળે. જે ધીરજવાળો હોય તેને વૈર્યવાન કહેવાય છે. હાથમાં લીધેલા કોઈપણ કાર્યને પાર પાડવા માટે આ ગુણ અનિવાર્ય બને છે. લીધેલું કાર્ય પૂર્ણ કરવામાં અનેક પ્રશ્નો ઊભા થાય છે, અનેક પ્રકારના અવરોધ પણ આવે છે. કેટલીકવાર ધાર્યા કરતાં ધનવ્યય અને અન્ય શક્તિઓનો પણ વ્યય વધુ પ્રમાણમાં કરવો પડે છે કે થઈ જાય છે, ત્યારે ધૃતિબળવાળાને મનમાં સંક્લેશ ન થાય. એ પોતાના મનને ચોક્કસ વિચારો, દૃષ્ટિકોણથી સમજાવી શકે અને પ્રસન્નતાપૂર્વક કામને પાર પાડી શકે. એને ક્યારેય મેં આમ કેમ કર્યું ? આટલું કેમ ખચ્યું? એવો પશ્ચાત્તાપ ન થાય, જેથી તે કરેલા સુકૃતને ધોઈ નાંખતો નથી. દરેક કાર્યો સરખાં નથી હોતાં, એટલે કામ હાથમાં લીધા પછી એ ચોક્કસ સમયે અને ચોક્કસ રીતે પૂરાં થાય જ એવું નથી હોતું. કેટલાંક કામોમાં તો અનેક અવરોધ પણ આવે અને ઘણી તકલીફો વેઠ્યા પછી ઘણા લાંબા સમયે પણ પૂરાં થાય. આવી પરિસ્થિતિમાં જો ધીરજ ન હોય તો આદરેલા કામને અધવચ્ચે જ મૂકી દેવાનું થાય. જરાક ધાર્યા મુજબ ન થયું, કોઈ વચ્ચે આવ્યું, કોઈએ નિંદાટીકા કરી કે ધાર્યા કરતાં કામ ભારે નીકળ્યું તો ધીરજ વગરનો એ કામને અધવચ્ચે પડતું મૂકીને શ્રીસંઘને, શાસનને પારાવાર નુકસાન પહોંચાડે છે; જ્યારે જે કામ હાથમાં લીધાં તે બધાં તરત પૂરાં થાય તેમ તો ન જ બને, એ માટે ધૈર્યધીરજ જોઈએ. કામ કરતાં બને કે કોઈ કરનાર માટે નબળું પણ બોલે, ગાળોય આપે.એવી પરિસ્થિતિમાં ધીરજવાળી વ્યક્તિ કોઈની સારી-સાચી વાત હોય તો સ્વીકારી લે અને ખરાબ-ખોટી વાત હોય તો ઉપેક્ષા કરે પણ કામને નુકસાન ન થવા દે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે કાર્ય થતું હોય તે બરાબર ચાલુ રાખે. આ બધું ધીરજ હોય તો જ બની શકે. વાતવાતમાં અધીરો બની જાય, એ सव्वत्थामेण तहिं संघेण होइ लगियव्वं । सचरित्त-अचरित्तीण य सव्वेसि होइ कज्जं तु ।। - आवश्यक सूत्र તમાં કરો ૮૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy