SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ બેસી પડે અને થોડો ઓછો ભાર હોય તો ઊંચકીને ફેંકી પણ છે. જે જીવો ઉત્તમ કુળના ન હોય એમનામાં આવું બનતું ઘણીવાર જોવા મળે કે એ કોઈ ભાર લેવા જ તૈયાર ન હોય; છતાં કોઈ એના ઉપર પરાણે મૂકે તો કાં તો એ એને ફંગોળી દે અથવા અધવચ્ચે જ કહે કે, હવે તમારે જે કરવું હોય તે કરો, મારાથી કાંઈ નહીં થાય, અગર તો કામને બગાડી મૂકે. આ ક્ષેત્રમાં જો આવું થાય તો શ્રીસંઘ અને શાસનને પારાવાર નુકસાન થાય. આવું ન થાય માટે વહીવટદાર, માટે શ્રીસંઘસંચાલક માટે કુલીન-કુળવાન હોવું એ જરૂરી છે. ૫ - અધુરો - અશુદ્ર – ઉદાર, અક્રૂર : ५ - अक्षुद्रो-अकृपणः । कृपणो ह्यौचित्येन द्रव्यव्ययकरणाशक्तत्वान तत्साधनाय शासनप्रभावनाय चालम् । अथवा अक्षुद्रो-अक्रूरः । क्रूरेण हि परोपतापित्वाजनद्वेष्येण कृतं तदायतनं तन्मत्सरेण जनद्वेष्यं स्यादिति । અક્ષક અશુદ્ર એટલે કૃપણતારહિત. કૃપણ જીવ ઉચિત દ્રવ્યવ્યય ન કરી શકવાથી કાર્ય કરે નહિ અને કરે તો પણ શાસનપ્રભાવના ન કરી શકે અથવા અશુદ્ર એટલે ક્રૂરતારહિત. ક્રૂર જીવ બીજાને સંતાપ પેદા કરનારો હોવાથી લોકો તેના પ્રત્યે દ્વેષવાળા બની જાય. આથી તેના કરેલા મંદિરાદિ નિર્માણના કાર્ય ઉપર પણ દ્વેષ કરે. અશુદ્ર ગુણને સમજવા માટે ક્ષુદ્રતા દોષને સમજવો જરૂરી છે. સામાન્ય રીતે સુદ્રનો અર્થ તુચ્છ-અગંભીર એવો થતો હોય છે. જ્યારે અહીં પ્રસ્તુત વિષયમાં સુદ્રનો અર્થ અનુદાર અથવા ક્રૂર એવો કર્યો છે. જેનામાં ઉદારતા ન હોય તે શુદ્ર કહેવાય. એટલે જે ઉદાર હોય તેને અશુદ્ર કહેવાય. એ જ રીતે જેનામાં ક્રૂરતા હોય તે ક્ષુદ્ર કહેવાય અને જેનામાં ક્રૂરતા ન હોય તે અશુદ્ર કહેવાય. वही ज्ञान है, वही विज्ञान है, वही कलाओं में कुशलता है, बुद्धि और पुरुषार्थ भी वही है, जिसका उपयोग भगवान के कार्य में होता है। - श्राद्धदिनकृत्य પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy