SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ 1765 ૪ આગમનો અરીસો = - Jain Education International ૧૨૦ નથી. તે દુઃખને દૂર કરવા આ શાસનની સ્થાપના છે. શાસનના સાચા સેવક એવા ધર્મગુરુ વિવેક નાશ પામે, મિથ્યાત્વના ધોધ છૂટે એવી દયા ક૨વા ન જાય. વિવેકહીનને વિવેક આપવા, મિથ્યાત્વમાં પડેલાને પ્રકાશમાં લાવવા માટે જ શાસનની સ્થાપના છે. ૫૭ પ્રવચનને ધરે તે સંઘ : શ્રી જિનેશ્વરદેવે શાસનની સ્થાપના કરી શું કામ ? શાસન એટલે સંઘ નહિ પણ પ્રવચન. સંઘ તો પ્રવચનનો આધાર છે. આધાર આધેયને એક માનીને સંઘ કહે તેમાં વાંધો નથી. પ્રવચનને ધરે તે સંઘ, પ્રવચનને છોડી દે તે સંઘની કોટિમાં નથી. શ્રી તીર્થંક૨દેવો વીતરાગ હતા, માનાકાંક્ષી ન હતા. તેમને નામના કમાવી હતી એવું ન હતું. વીતરાગ થયા પછી તેઓ શાસન સ્થાપે છે, એટલે પછી બીજું પ્રયોજન શું હોય ? અંધ અને અંધકારમાં રહેલા જીવોને દેખતા બનાવી પ્રકાશમાં લાવવા માટે જ આ શાસનની સ્થાપના છે. અંધા શાથી ? વિવેકહીન હોવાથીવિવેક એટલે હેય ઉપાદેયનો વિભાગ કરવાની સમજ, સ્વ-૫૨નો વિભાગ કરવાની સમજ, સાચા અને ખોટાનો વિભાગ કરવાની સમજ. એવી સમજ વિનાના બધા અંધ છે અને અંધકારમાં અટવાઈ રહ્યા છે. મિથ્યાત્વ એ અંધકાર છે. વિવેકહીન હોવાને લીધે આંધળા બનીને મિથ્યાત્વરૂપી અંધકારમાં પડેલા જીવોને વિવેકયુક્ત બનાવી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ક્ષમાદિ શુભ વ્યાપારમાં જોડવા અને અપ્રમત્ત અવસ્થામાં લાવવા પ્રભુએ શાસન સ્થાપ્યું છે. પૌદ્ગલિક પદાર્થોમાં મારાપણાની બુદ્ધિથી અંધ થયેલાઓને, સારાને ખોટું માનવારૂપ મિથ્યાત્વથી વાસિત બનેલાઓને; આ ખાઉં, આ પીવું, આ લઉં, આ મારું, એવી રીતે અવિરતિમાં ફસાઈ ગયેલાઓને; ઘડીમાં ક્રોધી, ઘડીમાં માની, ઘડીમાં માયાવી, ઘડીમાં લોભી અને મન વચન કાયાના યોગોને મરજી મુજબ વહેવડાવના૨ાઓને, તેમજ પ્રમાદને આધીન થયેલાઓને એમાંથી ખસેડી મોક્ષમાં લઈ જવા માટે આ શાસન પરમાત્માએ સ્થાપ્યું છે. પ્રમાદમાં કષાય સમાઈ જાય છે પણ કષાયની મુખ્યતા બતાવવા માટે તેને જુદા ગ્રહણ કરેલ છે. આગમ એ અરીસો છે : બંગલા, બગીચામાં મારાપણાની બુદ્ધિથી અંધ બનેલાઓને દેખતા કરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy