SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ 1751 ૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 દુઃખ છે. શાસ્ત્ર મુનિને કહે છે કે ક્ષુધા તથા તૃષા પરીષહને સહવાનો અભ્યાસ કરો ! ભૂખ્યા રહી જોવું, એવી ટેવ પાડવી, ભૂખ સહન કરવી અને દુર્ધ્યાન થાય તે પહેલાં પેટમાં નાખી લેવું - ઇરાદાપૂર્વક સહેવા તે પરીષહ અને એની મેળે આવે તો ઉપસર્ગ. Jain Education International ૪૩ સભા : છઠ કરે અને એક ઉપવાસ પછી દુર્ધ્યાન થાય તો ? પચ્ચક્ખાણ લીધાં એટલે પ્રતિજ્ઞા થઈ. પ્રતિજ્ઞા ભંગાય નહિ. મુનિને આહાર ન મળે તો એ ચૂલા સળગાવે ખરા ? ના, કેમ કે પ્રતિજ્ઞા છે. સાધુને બાવીસ પરીષહ અને બાકીના ઉપસર્ગ. પરીષહ ઇરાદાપૂર્વક સહન કરવાના. સહન કરવાનો અભ્યાસ કરવાનો. ક્ષુધા તથા તૃષાને રોગ માન્યા માટે ખાવું-પીવું એ ઔષધ છે. ખાવા પીવામાં રાચેલા-માચેલા તો જન્મના રોગી, રોગથી બેપરવા બનેલા અને રોગને વધા૨ના૨ા છે. તમે જેમાં સુખ માનો છો તે મનુષ્યગતિનાં દુઃખ આ જ્ઞાની વર્ણવે છે. તમે તો ભૂખ ન લાગે ને ઊંઘ ન આવે તો ભૂખ લગાડવાના કે ઊંઘ લાવવાના ઉપાયો માટે ડૉક્ટરો પાસે દોડો છો. ઊંઘ ન આવે તો તો સારું કે શુભધ્યાન થાય પણ આ તો ઊંઘ લાવવા ધમપછાડા કરે, પથારીમાં આળોટે, હાથપગ પછાડે, ગાળો દે અને દાંતિયા કરે પણ શાંતિથી માળા ન ગણે. માળા હાથમાં લે તો હાથપગ પછાડવા ન પડે, ઊંઘ આવે તોય ભલે અને ન આવે તોય કલ્યાણ. માળા ગણતાં ઊંધ આવે તો પણ નવકાર ગણતાં ગણતાં સુવાશે ને ? સ્વપ્નાં પણ સારાં આવશે ને મૃત્યુ આવશે તોય સદ્ગતિમાં જવાશે. For Private & Personal Use Only યુવાનીનો ઉન્માદ : ગર્ભાવસ્થા એ કેદ છે. બાલ્યાવસ્થામાં અજ્ઞાનતા છે. એ મૂર્ખને નાકનો મળ મોંમાં જાય એનીય ગતાગમ નથી રહેતી. સારાનરસાનું ત્યાં કાંઈ ભાન જ નથી. યુવાનીમાં ઉન્માદ છે. શ્રી યશોવિજયજી મહારાજાએ એવા ઉન્માદી પામરો માટે બહુ આકરા શબ્દો લખ્યા છે. માટે એકવાર એમાંની થોડી જ વાત કરી ત્યાં તો કંઈક શ્રોતાઓ અકળાઈ ગયા અને કહેવા લાગ્યા કે ‘આવું કહેવાય ? સાધુ આવું જાણે ક્યાંથી ?' અરે ભાઈ ! સાધુ તો સર્વજ્ઞના દીકરા, બધું જાણે. સાધુની ચક્ષુ એ શાસ્ત્ર છે. શાસ્ત્રમાં બધું આવે. એમાં તો ત્યાં સુધી લખ્યું છે કે યુવાનીમાં ઉન્માદી બનેલા વિષયાધીન પામરોને ગંધાતી ચીજો પણ અમૃત જેવી લાગે છે. વિષયાંધ કવિઓએ એવાં વર્ણનો પણ કર્યાં છે. નાનું બાળક જે ન કરે તે આ www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy