SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ : આજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા: 119 16 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૧ બુધવાર તા. ૨૭-૧૧-૧૯૨૯ • ચારેય ગતિ દુઃખમય : • સુધા-તૃષા એ રોગ છે : • યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનાં દુ:ખ : • વિષયાધીનોની પરાધીનતા : • સામ્યવસ્થા એ સુખ : ૦ આજનો સ્વાતંત્રવાદી ગુલામ છે : • જીવ સુખી કે દુઃખી શાથી ? • મુધાદાયી-અધાવી : • લક્ષ્મી આવે તો શું કરો ? • ધર્માત્મા શેઠનું દૃષ્ટાંત : યોગનો વિયોગ નક્કી છે : • શાસન પ્રત્યેની ફરજ બજાવો : • આહાર અને ઊંઘ વધાર્યાથી વધે : ૦ નાલાયક લાયક ન બને ? • રસમૂલાનિ વ્યાધય : • ભગવાનની આજ્ઞાથી ખેડૂતને દીક્ષા : વિષય : ચાર ગતિનાં દુઃખો, સુખ-દુઃખ, સુધાદિ એ રોગ છે, સ્વતંત્રતાવાદ, સાધુ-શ્રાવકનું કર્તવ્ય. જીવોને નિર્વેદ થાય એ માટે ચારેય ગતિમાં રહેલાં દુ:ખોનું વર્ણન ફરી એકવાર કરીને આર્તપીડાને લીધે બહુ દુઃખી બનેલો અજ્ઞાની જીવ નવનવાં પાપો કર્યે જ જાય છે, તે વાત ગદ્દે તે સહુકુવરd...' સૂત્રાધારે સમજાવી છે. એમાં પ્રાસંગિક, સુખ કોને કહેવાય ? જીવ સુખી કે દુઃખી શાથી બને ? આહારાદિની જરૂર શી, કેટલી અને કેવા સ્વરૂપે છે ? વિષયાધીન જીવોની ગુલામી કેવી હોય છે ? સાધુ લે ને શ્રાવક આપે તેમાં બેયની ભાવના શી ? અને એક સમયની અયોગ્યતા, યોગ્યતામાં કઈ રીતે પલટાય ? વગેરે પ્રશ્નોની સુંદર છણાવટ કરવા પૂર્વક તેમજ શ્રી લાલભાઈ શેઠ અને પુણ્યોદય સમયે ધર્મારાધના કરી લેતા અન્ય શેઠનું દૃષ્ટાંત રજૂ કરવા પૂર્વક આ પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાપાત • જ્ઞાનીઓની વાતો જેમને માનવી હોય તેમના માટે છે, ન માનવી હોય તેમના ઉપર કોઈ બળાત્કાર નથી. આત્મા પરાધીનતાની મજબૂત બેડીમાં બંધાતો જાય, એ બંધનથી થયેલો આનંદ એ જ ઉન્મત્તાવસ્થા. • કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ પહોંચે એવી પ્રવૃત્તિ ધર્મને ગમે નહિ. યોગ થતાંની સાથે જ વિયોગ અને શોક સર્જાય છે. આહાર વધે તેમ નિદ્રા, ભય અને મૈથુન વધે. બ્રહ્મચારી માટે અતિશય ભોજન તજવું જરૂરી છે. સંયમના યોગો વધે તેમ શારીરિક કૌવત વધે છે, ઈન્દ્રિયોની કાર્યક્ષમતા વધે છે અને મહિનો વિકાસ થાય છે. મગજને તર કરવા, મતિનો વિકાસ કરવા વિગઈઓ વાપરવી એવું જૈન શાસનમાં વિધાન નથી. બહુ ખાનારા, ઘરમાં-બજારમાં અને હરતા ફરતા હોટલોમાં જઈ જઈને ખા ખા કરનારા વ્યાધિને વધારનારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy