SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ 17 – ૨ : બેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 – ૨૭ અને એ તીર્થંકર નામકર્મનો પ્રભાવ જ એવો કે, એના યોગે જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે વગર ઇચ્છાએ એ તારકોને દેશનાની સામગ્રી એટલી મળે છે કે દુનિયાભરમાં જેનો જોટો નહિ. ઉપકાર કરવાની ભાવના અને કરુણાનો ધોધ એવો વહેવડાવ્યો કે જીવે ત્યાં સુધી ખૂટે જ નહિ. સભા : ભગવાન મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઈને ? ભગવાન મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ એ કલંક કોનું ? ભરતક્ષેત્રનું. વિરાગીના મોઢામાંથી વૈરાગ્યની વાત ન નીકળે તો એ દોષ એનો. પાણીના નળમાંથી પાણી જ નીકળે, ન નીકળે તો માનવું પડે કે પાણી સુકાઈ ગયું છે. પાણી ઓછું થાય ત્યારે અમુક ટાઇમ પૂરતો જ નળ આવે, એવું જ વૈરાગ્યની બાબતમાં છે. જો કોઈ સાબિત કરી આપે કે વૈરાગ્ય સિવાય બીજી કોઈ વસ્તુમાં તત્ત્વ વધારે છે તો આપણે તે માનવા તૈયાર છીએ. આ વસ્તુ નિર્ભીત ન થાય ત્યાં સુધી જૈનત્વ કઈ રીતે ટકે? તાકાતના અભાવે રત્નત્રયી માટે પૂરતો પ્રયત્ન ન પણ કરી શકો તો અમે તમારું પલ્લું પકડવા આવતા નથી, પણ ધ્યેય, ઉદ્દેશ અને આદર્શ શા હોવા જોઈએ ? ભગવાન વસ્તુતજ્યના પ્રકાશક : જેનશાસનમાં સંપૂર્ણ જ્ઞાન સિવાય અંતરના અવાજની છૂટ નથી. જેવું આપણું અંતર તેવો અવાજ આવે. આહાર તેવો ઓડકાર. અનંતજ્ઞાનીના અવાજ જેવા અવાજ આપણા કર્મથી આવરાયેલા આત્મામાંથી આવવાના નથી. ગણધરદેવો સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, ચાર જ્ઞાનના ધણી, અવધિજ્ઞાન તીવ્ર, અસંખ્યાતા પૂર્વભવોનું બાન કરે તેવું, દેશના દે ત્યારે છપસ્થ છતાં કેવળી જેવા લાગે, છતાં ત્રિપદી તો ભગવાને આપી હતી અને તેના ઉપરથી દ્વાદશાંગી બનાવી હતી. માટે જેટલું પામ્યા તેટલું ત્યાંથી જ પામ્યા એમ કહેતા. ઇંદ્રભૂતિ ચૌદ વિદ્યાના પારગામી, આખા ભારતમાં એમની સામે ઊભો રહે તેવો એકેય પંડિત તે સમયે ન હતો, છતાં ભગવાન પાસે આવ્યા પછી પોતાના અંતરના અવાજની વાત નથી કરી. ભગવાન કાંઈ વાદવિવાદ કરનારા ન હતા પણ વસ્તુતત્ત્વના પ્રકાશક હતા. આજે ઘણા એમ કહે છે કે “આપણા નિમિત્તે પારકાનું બગડતું હોય તો આપણે આપણું સારું પણ છોડી દેવું. આપણી ત્યાગ-વૈરાગ્યની વાતથી લોકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy