SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 12 અરોગી પણું એટલે આરોગ્ય અર્થાતું કે મોક્ષ' અને તે માટે “બોધિલાભ - જિનધર્મની પ્રાપ્તિ.” જો મોક્ષ આરોગ્ય છે, તો સંસાર રોગ નક્કી થયો. કારણ કે મોક્ષ એ આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે અને સંસાર એ આત્માનો વિભાવ છે, વિરૂપ છે. આથી સંસારરૂપ રોગને દૂર કરવા માટે શ્રી જિનધર્મ એ ઔષધ છે. આ વાત જો બરાબર સમજાય તો સંસારરોગ ખટકે, મોક્ષરૂપ આરોગ્ય મેળવવાનું મન થાય અને તે માટે ધર્મરૂપ ઔષધની આવશ્યકતા સમજાય. જ્ઞાનીઓએ કર્મવશ સંસારમાં રઝળતા આત્માઓને સાચી પરિસ્થિતિનું ભાન કરાવતાં કહ્યું છે કે સંસાર એ રોગ છે. મોક્ષ એ આરોગ્ય છે, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ એ ઔષધ છે. સંસારની ક્રિયા, સંસારપોષક પ્રવૃત્તિ એ કુપથ્ય છે. ધર્મક્રિયા, ધર્મપોષક પ્રવૃત્તિ એ સુપથ્ય છે. કુગુરુઓ એ ઊંટવેદ્ય છે અને સુગુરુઓ એ સાચા ચિકિત્સક છે. આ વાત ગળે ઊતરે, તેને હું રોગી છું એવું ભાન થાય. જ્યાં સુધી વ્યક્તિને “હું રોગી છું” એવું ભાન થતું નથી ત્યાં સુધી એને આરોગ્ય મેળવવાનું મન થતું નથી અને એ વિના ઔષધ લેવાનું કે અપથ્યથી બચીને પથ્ય સેવવાનું અને એ માટે ખોટા ચિકિત્સકથી બચીને સાચા ચિકિત્સક પાસે જવાનું મન થતું નથી. તમને લાગે છે કે “અમને સંસારરોગ લાગુ પડ્યો છે, માટે અમે રોગી છીએ ? આ સંસારરોગના કારણે અમારું આત્મિક આરોગ્ય જોખમાઈ ગયું છે અને એને અમે જ્યાં સુધી નહીં મેળવીએ ત્યાં સુધી અમારે દુઃખી જ થવું પડશે ?” દુઃખમુક્ત થવાનો ઉપાય જ એ છે કે રોગમુક્ત બનવું અને આરોગ્યને પ્રાપ્ત કરવું અર્થાતું કે આ સંસારથી છૂટીને વહેલી તકે મોશે પહોંચી જવું કે જ્યાં અનંતા અરિહંતો અને સિદ્ધો પહોંચી ગયા છે અને સદા માટે સહજ સ્વરૂપના, આત્મિક શાશ્વત આરોગ્યના સ્વામી બન્યા છે. આ આત્મિક આરોગ્ય-મોક્ષ મેળવવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનું જ સેવન કરવું જોઈએ. એ માટે શક્ય પ્રયત્ન વહેલી તકે સંસારની પ્રવૃત્તિરૂપ અપથ્ય છોડીને દરેક પ્રકારની નાની મોટી ધર્મકરણીરૂપ પથ્યનું યથાશક્ય સેવન ન કરવું જોઈએ પણ દાન, શીલ, તપ અને ભાવરૂપ દવા જ્યાં ત્યાંથી ન લેવાય. આં ભેળસેળના જમાનામાં જેમ ચિકિત્સકોમાં અને વેપારીઓમાં કેટલાક લૂંટારા પાક્યા છે, તેમ ધર્મગુરુઓ તરીકે ઓળખાતાઓમાંય કેટલાક ધર્મધનના લૂંટારા પાક્યા છે. એ સ્થિતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy