SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭. નિંદા ન થાય. સ્વરૂપદર્શન એ નિંદા નથી. શાસ્ત્રમાં સુદેવ, સુગુરુ, સુધર્મ અને સુશ્રાવકની સાથે જ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશ્રાવકનાં લક્ષણો બતાવ્યાં છે. જો આને નિંદા ગણીએ તો શાસ્ત્રો નિંદાથી ભરચક છે એમ કહેવું પડે. સમ્યક્ત અને મિથ્યાત્વનું વર્ણન ઠામઠામ આવે છે. જીવ અને અજીવ પર આખી દ્વાદશાંગી રચાઈ છે. અજીવના સંગમાં રહે એ પામર, એનો સંગ છોડે એ પરમાત્મા. સભા : લોકોત્તર પુરુષો લોકમાં કેમ રહે? વગડામાં કેમ ન જાય? -વગડો એ લોક નથી ? રામ ત્યાં અયોધ્યા. વગડામાં પણ લોક તો છે ને ? કહે છે કે પોતે સંસારમાં પેદા થયા છતાં એને ખોટો કેમ કહે ? પણ ખોટો હોય તો ખોટો કહે. પોતાનો દીકરો કાણો હોય તો કાણો ન કહેવાય ? પોતાના રતાંધળા દિકરાને દેખતો કહેનારો બાપતો એને અથડાવી મારે નોકરને કહેવું પડે કે “સાચવજે, એ દેખતો નથી.' છોકરો કહે કે તમે તો આમ કહીને મારી આબરૂ બગાડી, તો એ ચાલે ? સંસારમાં પેદા થયા માટે એ ખોટો હોય તો ખોટો ન કહેવાય ? લૂંટારો શાહુકાર થયા પછી લૂંટને વખાણે કે નિંદે? વખાણે તો એ શાહુકાર નથી. સત્યવાદી કોણ કહેવાય ? સત્યવાદી છે કે જે અસત્યને કાપે. અસત્યને પંપાળે તે સત્યનો સેવક નથી. તમે કેવળ શબ્દગ્રાહી ન બનો. લોક વિરોધ કરે એના ત્યાગનો કાયદો કરીએ તો એક પણ કામ એવું નથી કે જેમાં ચાંદા પાડનારા ન હોય. કાગડાનો એ ગુણ છે કે ચાંદું હોય તે પહોળું કરે અને ન હોય તો નવું પાડે. હજારો ખરચીને જમણ કરનારનો દોઢ શેર માલ ઝાપટી જનાર બહાર જઈને રસોઈમાં તેલ મરચાંની ખોડ કાઢે, એવા પણ માણસો પડ્યા છે ને ? ભાટ ચારણની જેમ એ ખોડ બધે ગાતા ફરે. ઘીના ઘેબર જમાડનારને તેલ ન મળે ? કદી રસોયાની પણ ભૂલ થાય. સો ડબા તેલમાં વેપારીએ પણ બે ખોટા ઘાલી દીધા હોય એવું ન બને ? ઘરના માલમાં પણ ભૂલ નથી થતી ? માનો કે પેલામાં ક્યારેક કપરતા આવી ગઈ હોય પણ તેથી એની ઉદારતા સામે નહિ જોવાનું? કેટલાક તો એવા નાદાન હોય છે કે પોતે કર્યા કરતાં સામાનું વધારે સારું ન કહેવાય માટે જેની તેની સામે આવા ખોટા પ્રલાપ કર્યા કરે. પોતાથી અમુક કામો ન થાય એટલે બીજા કરનારને નિંદે એવા નથી ? ઠાઠથી સારી ક્રિયા કરવા જનારની બહારની ક્રિયા જોવાય? સામાયિક પડિકમણું કરવા જનારને કેટલાક હસીથી ભગત કહે છે. લોક વિરોધ કરે એ ન થાય એ કાયદો પકડો તો શ્રી જિનેશ્વરદેવની મુક્તિ ન થાય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy