SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 1989 -- ૧૮ : જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ – ૧૩૪ - ૨૮૧ આ બધી આશાતના છે. કહે છે કે “જૈનો વધારો' પણ “જે છે તે તો સુધારો !! ખાલી શંભુમેળો ભેગો કરવો છે? વાળાકુંચી કેવી રીતે કરાય? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વર્તવાની લગનીવાળા હોય તે જૈન એક એક જણ શાંતિપૂર્વક પૂજા કરે તો કેવી થાય ? આ તો મરજીમાં આવે તેમ કરે, તો ભગવાનની મૂર્તિ એ કાંઈ રમકડું છે ? વાળાકુંચી શા માટે છે ? કોઈ ભાગમાં વાસી કેસર રહી ગયું હોય તે આસ્તેથી સાફ કરવા માટે છે. તમારા દાંતમાં કાંઈ ભરણું હોય તો સળી કેવી લો ? અને કાઢો કેવી રીતે ? ચામડીને જરાય સળી અડવા નથી દેતા. આજે વાળાકુંચી કઈ રીતે થાય છે? જાણે કૂચાથી વાસણ ઉટકવા બેઠા. આ હસવાની વાત નથી, આ તો ભયંકર પાપ છે. ભગવાનની ઘોર આશાતના છે. પ્રભુને તિલક કેમ થાય ? ભગવાનને નખ ન અડે અને પોતાના નખમાં કેસર ન ભરાય તે રીતે. તારકને તારક માનો તો બધી ક્રિયા શુદ્ધ થાય. ખાનપાન, રીતભાત બધું શુદ્ધ જોઈએ. કરડા શબ્દો કોને કહયા છે ? અભક્ષ્ય ખાય, અપેય પીએ, અગમ્ય ગમન કરે અને આત્મા નિર્મળ થાય એ કદી બને ? ઉટકેલું વાસણ ધૂળમાં રગદોળાય ? મંદિરમાં જરા વાર જઈ આવો, જરા વાર સાધુ પાસે જઈ આવો અને પાછા સંસારની ધૂળમાં રગદોળાઓ તો નિર્મળતા આવે ? ખાવાપીવામાં વિવેક ન રાખો, વાસી, કંદમૂળ, દ્વિદળનો ઉપયોગ ન રાખો અને જે આવે તે ખાઓ તો નિર્મળતા આવે ? આવો જ વર્તાવ ચાલુ રહે તો આત્મગુણ કઈ રીતે ખીલે ? એના કારણે જ બુદ્ધિ બગડી છે. ભાણે બેઠા પછી ભાણામાં કોઈ અયોગ્ય ચીજ આવે તો બીજે દિવસે ફરી તે ન આવે એવી કાળજી રાખે અને તે દિવસે આવી ગઈ તેનો પશ્ચાત્તાપ થાય. આ તો મરજી મુજબ મહાલવું હોય ત્યાં સડેલું કાપવા માટે કાતર પણ શી રીતે ફેરવવી ? સભા: કાતર તો આપના પર ફેરવાય છે અને ગાળો દેવાય છે. એની ચિંતા નહિ. અહીં મેં કરડા શબ્દો પણ કહ્યા છે, પરંતુ તે તમને નહિ, જે એવા દુર્ગુણોથી ટેવાયેલા હોય તેમને. ત્યારે મૂર્ખને ડાહ્યો કોણ કહે ? ગમે તેવી સભ્ય ભાષા બોલનારો શિક્ષક પણ મૂર્ખ વિદ્યાર્થીને કહ્યો ન કહે. ગમે તેવું સંસ્કારી વચન બોલનારો ઝવેરી પથરાને હીરો ન કહે. જેનામાં શ્રાવકપણાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy