SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ 1983 — ૧૮ : જ્યાં ભાવના લુખ્ખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - પણ કર્યો. મતલબ ઝંપાપાત પણ થાય. પણ માનો કે એવી તૈયારી ન હોય તો પણ વૈરાગ્ય આવે ત્યારે તરત નીકળી શકાય એવી સ્થિતિ તો કરો ! વગ૨ ઇચ્છાએ પણ સાકર મીઠી જ લાગે. ઇચ્છા થાય ત્યારે એકદમ નીકળાય એવી સ્થિતિ કેળવો, એવું જીવન જીવો કે લોક પણ જાણી જાય કે ન માલૂમ આ ક્યારે ચાલ્યો જાય તે કાંઈ કહેવાય નહિ. ધારો ત્યારે નીકળી શકો એવો વર્તાવ રાખો. ૧૩૪ - ૨૭૫ એક જ દેશનામાં પલટો : સંસાર ખોટો માન્યા પછી વૈરાગ્ય આવવાનો એ તો નક્કી છે. વૈરાગ્ય કેમ જલદી આવે એ ભાવના તો એની છે. એ ભાવનાવાળાની કુટુંબમાં, ઘરમાં, બજારમાં, દુનિયાનાં વ્યવહારમાં વાતચીત કઈ હોય એ નક્કી કરો, એટલે ધૂનન ચાલે. ચોમાસામાં પાણી પાવાનું અને હવે પાક લણવાનો. લણવામાં દાતરડું જોઈએ. એ ધારદાર હોય, બુઠ્ઠું ન ચાલે, તમે એવી તૈયારી કરો કે જ્યારે ચાલ્યા આવો ત્યારે પાછળના સહાયક થાય. પરદેશી રાજા એવો મોહાંધ હતો કે અટવીમાં પોતાની રાણી સૂર્યકાંતાની ક્ષુધા અને તૃષા પોતાના શરીરના માંસથી અને પોતાની નસ કાપીને એના લોહીથી છિપાવી હતી. એવો રાજા પણ કેશી મહારાજાની એક જ દેશનાના પ્રભાવે એવો પલટાઈ ગયો કે ઘરે આવ્યો ત્યારે સૂર્યકાંતાને થઈ ગયું કે આ રાજા હવે આપણા કામનો નહિ. ત્યારે એનો કેવો વર્તાવ હશે ? એક જ દેશનામાં આટલું પરિવર્તન. રાણીને એમ થઈ ગયું કે હવે તો આ મરે તો ઠીક. તમે જો ઉપયોગી ન હો તો તમને કોઈ ન સંઘરે. ઘરનાની વેઠ કરો, એમની ઇચ્છિત વસ્તુઓ લાવી આપો તો તમે એમના અને તમારાં ઉપયોગી કામ એ કરે તો એ તમારા. તમારા પરસ્પરના વ્યવહારમાં તમે એટલા પાક્કા છો. Jain Education International ઘસડાયો જાય એ ઉકાળે શું ? ‘અમે ન હોઈએ તો કોઈ જીવી ન શકે, બધા મરી જાય' એવું ન માનતા.તમારા જેવા ઘણા મરી જાય તોય પાછળ કોઈ મ૨વાનું નથી. પોતાનું મોત ન આવે ત્યાં સુધી સૌ જીવવાના જ છે. કોઈની પાછળ કોઈ મરી ગયો સાંભળ્યો નથી. તમે એવા લુખ્ખા થાઓ કે બધાને એમ લાગે કે હોય તોય ઠીક અને ન હોય તોય ઠીક, એટલે આપોઆપ પ્રેમ ઘસાશે અને જ્યારે જવા નીકળશો ત્યારે કોઈ રોકશે નહિ, સમ્યગદૃષ્ટિ આત્મા સંસારની વાતોમાં, સંસારના રંગરાગમાં લહેરી બને ? એનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy