SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 1991 – ૧૭ઃ સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ – ૨૫૯ મનાવો, અજ્ઞાન જગતથી પૂજાવાના લહાવા લઈ લો પણ શાસ્ત્રકાર કહે છે કે પછી અટવી બહુ મોટી છે, ચોરાશી લાખ જીવાયોનિ છે, તેત્રીસ તેત્રીસ સાગરોપમોનાં મોટાં આયુષ્ય છે, અનંતો કાળ પસાર કરવો હોય તો જગ્યા છે. ગુણવાન બની ગુણી તરીકે ઓળખાય એના માટે મોક્ષ છે, ગુણહીન બની ગુણી કહેવરાવનાર માટે સંસાર છે. તિજોરીમાં કાણું છતાં પાઘડી લાલચોળ રાખનાર માટે એક દિવસ દેવાળિયાનો ચાંદ નિયત છે. જોઈ જોઈને ચાલશે તો સચવાશે. જૈનશાસને કોઈની શરમ નથી રાખી. ભગવાન મહાવીરદેવના આત્માને પણ છૂટ ન આપી. “હશે હવે ! તીર્થંકર દેવનો જીવ છે માટે જવા દો' એ વાત ત્યાં ન હતી. તીર્થંકર થશે ત્યારે નહિ કનડીએ, ત્યારે તો પૂજીશું, હાથ જોડીશું પણ વાંકા ચાલે ત્યાં સુધી તો એ પણ રખડે. જે સ્થાનમાં બેઠા છો અને જે સ્થાનમાં જવું હોય તેને યોગ્ય ગુણો કેળવો. તમને અને અમને બેયને સરખો ઉપદેશ છે. અનંતજ્ઞાનીએ ન તમારી કે ન અમારી બેમાંથી કોઈની જરાયે શરમ રાખી નથી. બેય માટે ચીલો સરખો જ રાખ્યો. કર્મસત્તાનાં ઊંડાં ગણિત : સભા: પાપનો નતીજો તરત ન મળે અને પછી મળે એનું કારણ ? તરત નતીજો પૂરો ન અપાય. તરત સજા તો અજ્ઞાની કરે, ડાહ્યો તો પછી જ કરે. ગૂમડું પણ પાક્યા પછી જ બૂમરાણ કરાવે. પાપ બંધાતાંની સાથે સ્થિતિ બંધાય છે. સ્થિતિ પ્રમાણે અબાધાકાળ નક્કી થાય છે. અબાધાકાળ પૂરો થાય ત્યારે જ કર્મસત્તાને મઝા આવે. તરત સજા થાય એ એવો અનુભવ ન આપે. ઉતાવળ તો અજ્ઞાન કરે. કર્મસત્તા તો જાણે છે કે બચ્ચો હવે ક્યાં જવાનો છે? ભાગી જવાનો ભય હોય એ ગુનેગારને તરત પકડે. કર્મસત્તા તો માને છે કે દીકરો બરાબર સાણસામાં આવ્યો છે. એ શું કામ ઉતાવળ કરે ? પાપાનુબંધી પુણ્ય બહુ ભયંકર છે. એ સુખ-સાહ્યબીમાં જીવને બરાબર મહાલવા દે, લોકો એનાં વખાણ કરે, એ સાંભળીને એ ખૂબ ફુલાય, એને ખૂબ ઊંચે ચડાવે અને પછી એ એવો ખાડામાં ગબડે કે એક હાડકું સાજું ન રહે. એ ફરી ઊંચો આવે જ નહિ. જે પુણ્યના ભોગવટામાં આત્મા પર પાપનો ધસારો ચાલુ જ છે, એ પાપાનુબંધી પુણ્ય. સાચો વીર કાયરને પહેલાં દોરી ખૂબ ખેંચવા દે પણ પછી એવી ઢીલી મૂકી દે કે પેલાના હાથમાંથી દોરી તો છૂટી જાય પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy