SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - દેનારા, માર ખાતાં ખાતાં પણ ખોંખારા ખાનારા, સુરંગમાં પણ આનંદ માનનારા, ચારે તરફ ગોઠવાયેલા સિપાઈઓને પોતાના સેવક માનનારા, ફટકા પડે ત્યારે વાંસો હલકો થયો એમ માનનારા નંગો પણ ઘણા પડ્યા છે, તો આ આગમની સામે લાલ આંખ કરનારા હોય એમાં નવાઈ શી ? પરંતુ તેમને ખબર નથી કે આ ધર્મસત્તા જબરી છે. આ મનુષ્યલોકમાં તો સજા સહન થાય તે માટે શરીર ટેવાઈ પણ જાય, અંગ રીઢું થઈ જાય અગર ખોટું પણ પડી જાય કે જેથી માર વાગે જ નહિ પણ ધર્મસત્તાની અવગણનાના યોગે જ્યાં જવું પડશે, ત્યાં શરીર એવું મળશે કે એ અંગ રીટું નહિ થાય અને તકલીફ કોઈ રીતે નહિ શમે. રાડો પાડવા છતાં કોઈ સાંભળશે નહિ, કોઈ આશ્વાસન પણ નહિ આપે અને આપશે તો તે ત્યારે ગમશે પણ નહિ. બળદેવે કૃષ્ણજીને નરકમાંથી બહાર લઈ જવા ઉપાડ્યા તોયે કૃષ્ણજીએ ના કહી કે “ભાઈ ! રહેવા દો, તમે ઉપાડો છો તેથી મારી વેદના ઊલટી વધી જાય છે. કારણ કે ત્યાં શરીર જ એવું છે. અરે, મનુષ્યલોકમાં પણ ધાતુવિપર્યયનો રોગ થાય ત્યારે દશા ઊલટી થઈ જાય છે. એને મીઠું તે કડવું લાગે અને કડવું તે મીઠું લાગે, મિષ્ટાન્ન ન ભાવે ને કડવો લીંબડો ભાવે, ચંદનના લેપ દાહ ઉપજાવે અને વિષ્ટાના લેપ શાંતિ આપે, પુષ્પની શયા ખૂંચે અને બાવળના કાંટાની શય્યા સુખ ઉપજાવે. સભા; આવું કોઈ દષ્ટાંત છે ? શાસ્ત્રમાં કાલ સૌકરિકનું દૃષ્ટાંત તો છે જ, બાકી વર્તમાનમાં આપણે બધા દરદીઓને જોવા ગયા નથી, પરંતુ અમુક દર્દોમાં સામાન્ય રીતે સારી ચીજો પણ જોવીયે ન ગમે, એ તો બધાને અનુભવ છે. એવા પણ રોગી છે કે જે દૂધ પીએ કે તરત ઝાડા થઈ જાય. શ્રીમંતો તો કઢેલાં દૂધ પીએ પણ એને જ એવો રોગ હોય કે છાશ પીને જ રહેવું પડે, બાકી છાશ તો ગરીબો પીએ, એ શું કામ પીએ ? દાહવરમાં જેમ પાણી આપો તેમ તૃષા વધે અને ચંદનના લેપ દાહ વધારે. કાલ સૌકરિકમાં સંપૂર્ણ ધાતુ વિપર્યય માનો તો આમાં આંશિક માનો. સભા : મેં એક એવો દર્દી જોયો હતો કે જેને દર બે મિનિટે ઊંચું થવું જ પડે. એને માટે એ યુરોપ અમેરિકા જઈ આવ્યો પણ કાંઈ ન વળ્યું. એ પણ બને. ધર્મે નિષેધેલી કાર્યવાહી કરીને કર્મસત્તાના પંજામાં ફસાયેલાના શરીરની હાલત એવી બને કે ત્યાં સર્જનો પણ હાથ ખંખેરે. મુદ્દો એ છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy