SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 10. - ૧૬ આગમ એ જ આધાર -- ૧૩૨ ૨૫૧ શ્રદ્ધાળુ બનવું પડે અને ઉપદેશકોએ આગમાનુસારી મતિવાળા બનવું પડે. જો આવું થાય તો જૈન શાસનનું સામ્રાજ્ય એકછત્રી જરૂર બની શકે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે એટલે જ લખ્યું કે, श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश तत् । त्वच्छाशनस्य साम्राज्यमेकछत्रं कलावपि ।। હે નાથ ! જો શ્રદ્ધાળુ શ્રોતા અને સુધી વક્તાનો યોગ મળે તો આ કળિયુગમાં પણ તારા શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય. ધર્મસત્તા આગળ પોલ ન ચાલે ? શાસ્ત્ર તો દિશા બતાવે. રાજસત્તાનું ફળ પ્રત્યક્ષ છતાં એમાં ચોટ્ટાઓ, બદમાશો, વ્યભિચારીઓ, જુગારીઓ, દારૂડિયાઓ જીવી શકે છે, મોજથી ફરી શકે છે. અનેક વાર ગુના કરનાર ન પકડાય, પકડાયા પછી ચાર ખોટા પુરાવા ઊભા કરી બચી પણ જાય, ખૂનીને પણ જોરદાર ધારાશાસ્ત્રી મળે તો કાયદાની છટકબારી કાઢી બચાવી લે અને એ છૂટીને ઘેર પણ આવે, પણ ધર્મસત્તા એવી નથી. એમાં તો ગુનો કર્યો કે ફસાયા. પછી તો જ્યાં જવાનું નિયત થયું હોય ત્યાં જવું જ પડે. એનો કેસ પણ ન ચાલે, કોઈ દલીલ પણ ન ચાલે. ત્યાં કોઈ વકીલ પણ નહિ અને કોઈની લાગવગ પણ નહિ. ક્ષાયિક સમ્યત્વ પામેલાને પણ પહેલાં નરકાયું બંધાઈ ગયું તો નરકે જવું પડ્યું. કૃષ્ણ મહારાજા અને રાજા શ્રેણિક જેવા પણ નરકના સંકટ ભોગવી રહ્યા છે. એમના જેવાને પણ ત્યાં ગયા વગર છૂટકો ન થયો. બેય જણાએ ભગવાનને કહ્યું પણ હતું કે “ભગવાન ! આપ જેવા તારકના અમે સેવકો છતાં અમારે નરક ! એ તો શરમની વાત નથી ?' ભગવાને પણ સાફ કહી દીધું કે “જરાયે નહિ, નરકાયુનો બંધ થાય એવી ક્રિયા કરતી વખતે પૂછવા આવ્યા હતા ? નાથપણું સ્વીકાર્યા પછી નરકાયુનો બંધ થયો હોય તો વાંધો, સારાના સહવાસ પછી ખરાબ પરિણામ આવે તો વાંધો, પણ પૂર્વે કરી આવ્યા એ ભોગવ્યા વિના છૂટકો જ નથી. બાકી તમે પણ અમારા જેવા થશો, પણ હમણાં નહિ, હમણાં તો નરકમાં ફરી આવો, ત્યાં પીડા ઘણી છે પણ સમજપૂર્વક સહન કરી આવો.” રાજસત્તાની સજા પ્રત્યક્ષ છે છતાં રાજ્યમાં લુચ્ચા લફંગાઓ ફરે છે, તો ધર્મસત્તાને કોણ ગણે ? કેદમાં મજા માનનારા, ચાબખા પડે ત્યારે મૂછે હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy