SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 153 શ્રી જિનેશ્વરદેવનું દષ્ટાંત ન લેવાય ? ગીતાર્થે સેવેલા અપવાદની નોંધ ન હોય, હોય તો તે પણ જાણવા પૂરતી, એનો ઉપયોગ ન થાય. કોઈ દરદીને ઓપરેશન કર્યા છતાં અમુક સર્જને પાણી પાયું પણ એટલા પરથી જો બીજો પણ પાય અને એ દર્દી મરે તો ડૉક્ટર પર ખૂનનો ચાર્જ લાગુ થાય. “અમુક સર્જને પાયું હતું માટે મેં પાયું' એવો બચાવ ન ચાલે. દરદી જીવી જશે એમ એ સર્જને પોતાના લાંબા અનુભવથી જાણ્યું હશે માટે પાયું હશે! પણ તેં કેમ પાયું ? એમ કોર્ટ પૂછે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવની કાર્યવાહી દૃષ્ટાંતરૂપ નથી. એ તો છ વર્ષની વયે પણ દીક્ષા આપતા, વિશિષ્ટ જ્ઞાની પૂર્વાચાર્યો પણ આપતા, પરંતુ અમારાથી ન અપાય. એ પરિણામના જ્ઞાતા હતા, અમે નથી. આઠ વર્ષ પછી દીક્ષા આપવામાં અમારે વાંધો નહિ. એમાં કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે અવધિજ્ઞાન ન જોઈએ. અરે, કાલે શું થશે, એ જ્ઞાનની પણ જરૂર નથી. એની ચેષ્ટા, વાતચીત, રીતભાત ઉપરથી સંયમનો અનુરાગી છે, એ યોગ્યતાની ખાતરી થવી જોઈએ. સમજદાર પુરુષાર્થ કરે જ ઃ સભા: આજ્ઞા બહાર કરેલા મુનિ માટે વધુ કાંઈ ન થાય ? બધું થાય. તમારી પેઢીનો મુનીમ નાલાયક છે એમ ખબર પડી છતાં એને કાઢવાની તમારી તાકાત ન હોય તો એમાં કોઈ શું કરે ? માટે બધા મુનીમ એવા, એવો આરોપ ન મુકાય. ઘર અને પેઢી ચલાવતાં ન આવડે એ ભીખ માગે. ઘરને પણ તાળાં તો વાસો છો ને ? નશીબમાં હશે તો ક્યાંય જવાનું નથી એવું માની ડાહ્યો માણસ પેટીપટારાને તાળાં વાસ્યા સિવાય અને પછી પણ ઘર બંધ કર્યા સિવાય સૂતો નથી. ભાગ્યની વાત જુદી પણ સમજદાર પુરુષાર્થ કરે જ. ન કરે તો એને શાસ્ત્રકાર ગાંડો કહે છે. એટલે મુનિ પણ માર્ગમાં ન હોય તો એમને માર્ગમાં લાવવાનો શક્ય પુરુષાર્થ કરવો જ જોઈએ. વ્યવહારનું ઉલ્લંઘન ન થાય ? એક આચાર્યે પોતાના બધા શિષ્યોને અમુક યોગક્રિયામાં પ્રવેશ કરાવ્યો. યોગ ચાલુ હતા એવામાં આયુષ્ય પૂરું થવાથી આચાર્ય કાળધર્મ પામ્યા અને સ્વર્ગે ગયા. યોગ આગાઢ હતા એટલે અધવચ્ચે છોડાય નહિ. સ્વર્ગમાં ગયેલા આચાર્યો ઉપયોગ મૂક્યો, સ્થિતિ જોઈ એટલે તરત જ પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. મરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy