SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ ————- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– –– 100 સાચી શ્રદ્ધા ક્યારે કહેવાય ? દેવ વીતરાગ અને ગુરુ નિગ્રંથ છે, એટલું કહેવા માત્રમાં સમ્યક્ત નથી, શ્રદ્ધા નથી, પણ એ ઉપરાંત એમની આજ્ઞાના અમલ વિના કલ્યાણ નથી એમ માનવું તે શ્રદ્ધા છે. એવી શ્રદ્ધાવાળો એ શ્રદ્ધાળુ અને સમકિતી. ઇતિહાસ લખનારા પણ એમ તો લખે કે ચોવીસસો વર્ષ પહેલા થયેલા મહાવીર આવા હતા અને એમના સાધુઓ આવા હોય, એટલે એનામાં સમ્યક્ત છે એમ ન કહેવાય. વીતરાગ એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ અને એ બેની આજ્ઞાના અમલમાં જ કલ્યાણ, આવી માન્યતા શ્રદ્ધાળુની હોય. સમકિતીની આ શ્રદ્ધા હોય, દેશવિરતિનો એ પ્રમાણે દેશથી આજ્ઞાનો અમલ હોય અને સર્વવિરતિ સર્વથી અમલ કરે. શ્રદ્ધાળુમાં માન્યતા પરમ શુદ્ધ હોય પણ એ માન્યતા અમલમાં આવે તે માટે શ્રદ્ધાને અનુરૂપ હોવી જોઈએ. માન્યતા મક્કમ હોય તો કરણી સ્વયં આવે. જેટલા પ્રમાણમાં ગુણ થયો એમ માનીએ તેટલા પ્રમાણમાં કાર્યવાહી થતી નથી એટલે દુર્દશા છે. રોજ જિનપૂજન ન કરે, ગુરુ પાસે ન જાય, જિનવાણી ન ગમે, ત્યાં ચારિત્ર મોહનીય નહિ પણ દર્શન મોહનીયનો ઉદય છે. વ્યાખ્યાનમાં વિરતિની ઊંચી વાતો આવે : શાસ્ત્ર સમ્યત્વનાં ત્રણ લિંગ કહ્યાં. શુશ્રુષા, ધર્મરાગ અને વૈયાવચ્ચ. એનામાં જિનવાણી સાંભળવાની ઇચ્છા તો અથાગ હોય. જિનવાણી સાંભળ્યા વિના એને ચેન ન પડે. સાંભળવાનો એક પણ પ્રસંગ એ ચૂકે નહિ. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સક્ઝાયમાં કહ્યું કે – “તરુણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.” નર ચતુર હોય, શરીરે નીરોગી હોય, ઇંદ્રિયો પરિપૂર્ણ હોય, રૂપરંગાદિ વિષયોનો જાણ હોય, દેવાંગના જેવી સ્ત્રીઓથી પરિવરેલો હોય, એવો યુવાન દેવી ગીતગાન જે એકતાનપૂર્વક સાંભળે તેનાથી પણ અધિક પ્રતિપૂર્વક ધર્મદેશના સાંભળવી એ શુક્રૂષા. વ્યાખ્યાનમાં વિરતિની ઊંચી વાત આવે ત્યાં “આ શું? વારંવાર દીક્ષાની ત્યાગની વાત કેમ ?' એ પ્રશ્ન સમ્યગ્દષ્ટિને હોય? સમ્યત્ત્વનું ઠેકાણું નથી માટે આ ભાંજગડ થાય છે. સોનામહોર મળતી હોય તો ક્યો દરિદ્રી એ લેવા હાથ લાંબો ન કરે ? સારી વસ્તુ બતાવનાર તો ઉપકારી મનાય. નાણાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy