SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 123 –– ૧૪ઃ જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ઃ ૧૩૦ – ૨૧૫ સાવઘ યોગનો સંપૂર્ણ ત્યાગ જોઈએ, નહિ તો આ શાસનની વસ્તુ પરિણમે જ નહિ. ઋષભદેવ ભગવાન એમના કલ્પ મુજબ વર્તે છે: ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીએ પૂર્વાવસ્થામાં બધું કર્યું પણ પછી કેવળજ્ઞાન પામી જનતા સામે ધર્મ મૂક્યો ત્યારે સર્વ સાવઘ યોગના પચ્ચખ્ખાણનો અમલ પૂરો કે અધૂરો ? આજે તો ફાવતી વાત લેવી એ માન્યતા થઈ છે. એને લઈને શ્રી જિનેશ્વર દેવનું સ્વરૂપ પમાતું નથી. પહેલા તીર્થંકરનો કલ્પ પણ કળી શકતા નથી. પહેલા તીર્થંકર કઈ રીતે વર્તે તે જોવાની દૃષ્ટિ એમની પાસે નથી. ઋષભદેવ સ્વામી આ અવસર્પિણીના પહેલા તીર્થકર, એ થયા ત્યારે જનતાની સ્થિતિ કઈ હતી ? શું ખાવું, શું પીવું, શું કરવું એ કાંઈ લોકો જાણતા ન હતા. એ વખતે ભગવાન એમના કલ્પ મુજબ વર્તે છે, તો પણ એ બધાને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સર્વ સાવદ્ય કહે છે. એ જીવન જો પાપવાળું ન હોત તો, નિરવઘ હોત તો સર્વસાવદ્ય યોગનું પચ્ચખ્ખાણ ભગવાન શું કામ કરતા ? એ પચ્ચખાણ કર્યું ત્યારથી પાપ તો કબૂલ્યું ને ? પચ્ચખ્ખાણ પછીની કાર્યવાહી વિચારવાની કે નહિ ? એમાં કમી ન રાખી તો કેવળજ્ઞાન પામ્યા, ધર્મ સ્થાપ્યો અને એના સંચાલન માટે ત્યાગીને નીમ્યા. સર્વ સાવધના ત્યાગીથી હવે પર્વની કોઈ પણ સાવદ્ય પ્રવૃત્તિની અનુમોદના પણ ન થાય. અનુમોદનાથી કરવું-કરાવવું પણ આવી જાય છે. ધર્મના રસિયાનો વિરોધ ક્યાં હોય ? સર્વ સાવદ્ય યોગના અનુમોદનનો પણ ત્યાગ હોય એને જ શ્રી જિનેશ્વરદેવના નિગ્રંથ પ્રવચનનો અધિકાર છે. સર્વ પ્રકારે સંયમનો પ્રચાર કરવો હોય એનામાં જો એ છાયા ન હોય તો આજના સંસારના રંગની છાયા એને જરૂર સ્થાનેથી ખસેડી દે એવી છે. એ છાયા તો આજે ધર્મસ્થાનમાં પણ પ્રસરી છે. શ્રી જિનમંદિર અને ઉપાશ્રયોનું વાતાવરણ કલુષિત કરનારા સંસારના રસિયાઓ છે. ધર્મના રસિયાનો વિરોધ ક્યાં હોય ? અવિધિ સામે, પાપની સામે, પણ યોગ્ય વસ્તુની સામે તો નહિ ને ? અવિધિ પણ શાસ્ત્ર માનેલી, પોતે માનેલી નહિ. પોતે માનેલી અવિધિ શાસ્ત્રસંમત છે કે નહિ તે તો જોવું જોઈએ ને ? અવિધિના નામે વસ્તુને ન ભુલાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy