SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ પકડીને ઓરડામાં પુરાય. એમ કરતાં વાગી જાય એ વાત જુદી પણ એને મારી નાખવાની ભાવના ન થાય. ૨૦૪ વિચારશુદ્ધિના યોગે આજે કેટલાક અનાર્યોમાં પણ વિચાર ફરતા જાય છે. એ લોકો પણ હવે કહે છે કે ગુનેગાર શિક્ષાથી ન સુધરે. એ બદમાશોને જેલમાં પણ એવું શિક્ષણ દેવું કે જેથી બદમાશી જાય. આ શ્રી જિનેશ્વરદેવના વિચારની છાયા છે. મનુષ્યપણું ખીલે તેમ સદ્ગુણો આવે. સમ્યગ્દષ્ટિ એટલે ઊંચામાં ઊંચો મનુષ્ય. એની ભાવના તો બધાને બચાવવાની હોય. ખૂનીને મારવાથી જો એની મુક્તિ થતી હોત તો એને મારવાનું વિધાન હોત. સભા : પોતે એના ભયથી છૂટે માટે મા૨વાની ભાવના છે. ત્યાં સ્વાર્થવૃત્તિ છે, પરમાર્થની ભાવના નથી. હિંસકોને પણ હિંસાથી બચાવવા પ્રયત્નો આદરાય. બધી વાતોમાં મર્યાદા સમજો. હિંસક મારવા યોગ્ય નથી. ભયંકરને પણ સમજાવાય પણ ત્યાં કેવળ છરો જ ઉગામાય એવો કાયદો નથી. - 1912 હિંસક પ્રત્યે પણ દાંત ન પીસો ! ક્ષત્રિયની વ્યુત્પત્તિ શી ? ‘ક્ષતાત્ ત્રાયતે ઇતિ ક્ષત્રિયઃ' પ્રહારથી, આપત્તિથી બચાવે તે ક્ષત્રિય, દુશ્મનને મારે તે નહિ. રાજનીતિ પણ એ છે કે દુશ્મનને જીવતો પકડાય ત્યાં સુધી મારવો નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનને નહિ જાણનારા પણ આમ કહે છે તો જાણે તેને હિંસકને મારવાનો પ્રશ્ન ઊઠે ખરો ? વર્તમાન હવાની મગજ પર અસર થાય છે તેથી જ આવા પ્રશ્નો ઊઠે છે. આ કાળમાં શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવું કઠિન બને એવી બાજી ગોઠવાયેલી પડી છે. સમ્યગ્દષ્ટિની ભાવના તો મરનાર અને મારનાર બેયને બચાવવાની છે. એક પંથ એવો પણ છે, જે કહે છે કે બિલાડી ઉંદર પકડે તો ઉંદરને બચાવાય નહિ કેમ કે બિલાડીને અંતરાય પડે છે. શાસ્ત્રકાર એને મિથ્યા ભાવના કહે છે. ત્યાં સમ્યગ્દષ્ટિની ભાવના ઉંદરને દ્રવ્યપ્રાણથી બચાવવાની છે અને બિલાડીને હિંસા કરતી અટકાવીને ભાવપ્રાણથી બચાવવાની છે. તમને હજી સમ્યગ્દષ્ટિની ભાવનાનો પણ ખ્યાલ નથી આવતો. બચાવનારને મરનાર પ્રત્યે દયા છે અને મારનાર પ્રત્યે ગુસ્સો છે એમ નથી. જો એ મારનારને મારવાની ભાવના કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy