SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 101 માની હોત તો આ વિચાર ન આવત. ત્રસની હિંસાને પણ સ્વરૂપહિંસામાં ગણાવવાના આજે પ્રયત્ન થાય છે. આરંભાદિકમાં ત્રણ આવી જાય અને મરી જાય એ વાત જુદી. ત્યાં પરિણામનો નાશ નથી થતો. પણ ઇરાદાપૂર્વક ત્રસનો ઘાત થાય ત્યાં પરિણામની જરૂર નાશ થાય છે. સ્થાવરની હિંસામાં પરિણામનો નાશ થવાનો તેટલો સંભવ નથી, કારણ કે એનામાં હલનચલનની ક્રિયા નથી, એના ત્રાસનો સાક્ષાત્કાર નથી. તરફડતા જીવને તો ક્રૂરતા આવે તો જ મરાય કારણ કે આંખથી, મોંથી, આકૃતિથી ત્રસ તો ના પાડે છે, દયા યાચે છે, ભાગાભાગ કરે છે. તેથી ક્રૂરતા વિના એના પર ઘા નહિ થાય. પરિણામ જરૂર નિર્વેશ થાય. સ્થાવરમાં તેના પરિણામ કરવા ન ધારે તો બચી શકે છે. હિંસાના પ્રતાપે રોગ થાય છે? શાસ્ત્રકાર મુનિને કહે છે કે ત્રણે જગતના સ્વરૂપને જાણનાર મુનિએ પ્રાણીનો ઘાત ન થાય તેની કાળજી રાખવી જોઈએ. હિંસાના પ્રતાપે રોગ થાય છે. એ રોગને મટાડવા પાછી હિંસાને આચરવી એ અજ્ઞાન છે. સામાન્ય ઉપચારોની વાત જુદી છે. શાસ્ત્ર તો કહ્યું કે તાકાત હોય, દુર્બાન થાય તેવું ન હોય, સંયમમાં બાધ ન આવે તો મુનિ ઔષધ પણ ન લે, પણ જ્ઞાની ત્યાં તાકાત જોવાનું ન ચૂક્યા. શ્રી જિનેશ્વરદેવની પૂજાના વિધાનમાં ત્રણે કાળ નિયત કર્યા પણ એ ત્રણે સંધ્યાના સમયમાં પૂજા ન થાય તો બીજા ટાઈમે કરે કે નહિ ? જ્ઞાનીએ કહ્યું કે જે ત્રણ સંધ્યા ન સાચવી શકે તે જ્યારે ટાઈમ મળે ત્યારે કરે. એવા પણ પરાધીન જીવો હોય કે જે ટાઇમસર છૂટા ન થઈ શકે, તે પોતાને મળતા ટાઈમે પણ રોજ પૂજા કરે. જો એમ ન કહે તો એ બીલકુલ ધર્મ કરી શકે જ નહિ. માટે શાસ્ત્ર એની પણ ચિંતા કરી કેમ કે એ ધર્મમાં રહે તો એના આત્માનું થાય ને ? હવે આ અપવાદ પણ વિધિરૂપ, એ રોજ સેવાય. ધર્મ શક્તિ મુજબ હોય ? આજનાઓ કહે છે કે અપવાદ એક જ વાર સેવાય. શાસ્ત્ર કહે છે કે ઉત્સર્ગવિધિમાં વિધિરૂપ અપવાદ યાને અપવાદવિધિ તો ચાલુ જ રહે. એકલી ઉત્સર્ગવિધિ બતાવાય તો કોઈ ધર્મ જ ન રહે. ઉત્સર્ગરક્ષક વિધિરૂપ અપવાદ કાયમ સેવાય. દરેક વિધિનો મર્મ સમજો. શક્તિ છુપાવાય નહિ તેમ શક્તિનો અતિરેક પણ ન થાય. શક્તિ છુપાવે તે છતી શક્તિએ ધર્મ ન કરે. અને શક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy