SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 1:05. – – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૧૯૭ કહેવાયેલો આ ઉપદેશ ગૃહસ્થ પણ સાંભળવાનો છે, કેમ કે ગૃહસ્થ પણ મુનિ થવાનું છે. કયો દરિદ્રી શ્રીમંત થવા ન ઇચ્છે ? તેમ કયો ધર્મી પોતાનામાં સાધુતા લાવવા ન ઈચ્છે ? એક પણ પ્રાણીનો ઘાત કર્યા વિના જિવાય એ સાધુથી જ બને. ઊંચામાં ઊંચા ધર્મી ગૃહસ્થને પણ છકાય જીવની વિરાધના બેઠી જ છે, કરવા રૂપે, કરાવવા રૂપે કે અનુમોદના રૂપે. મુનિપણામાં એક પણ જીવનો ઘાત ન થાય એ સ્થિતિ છે. છકાયના વિરાધકને પણ કોઈ પ્રાણીના ઘાતની છૂટ નથી. આ વાત ન હસે તે ઊંચે ન ચડી શકે. સૂત્રકાર તથા ટીકાકાર મહર્ષિ કહે છે કે એક પણ પ્રાણીના ઘાતમાં સાતેય કર્મોનો અને આયુષ્યનો બંધ પડે તો આઠેય કર્મોનો બંધ પડે છે, જેથી આ દુસ્તર સંસાર સાગરનો પાર પમાતો નથી. ભાવનાના ફરકથી કર્મબંધમાં ફરક : એક જીવનો ઘાત કર્યા પછી ભવાંતરમાં સામો જીવ એનો ઘાત કરે એટલાથી કામ અટકતું નથી. પાપ નાનું હોય પણ પાપ થવા પૂર્વે અને કરતી વખતે પરિણામ થાય છે તે જોવાનું છે. કોઈ જીવ મરી જાય એ વાત જુદી પણ ઇરાદાપૂર્વક મારવાની ક્રિયામાં પરિણામ ભયંકર છે. એક જીવ મરી જાય ત્યારે “બહુ ખોટું થયું” એ ભાવનામાં તથા “એમાં શું' “મરી પણ જાય એ ભાવનામાં બહુ ફરક છે. સમકિતની વાત પછી, પણ તે વિના પણ ભાવનાના ફરકથી કર્મબંધમાં પણ ફરક પડે છે. બહુ ખોટું થયું એ ભાવનાવાળાને લાગેલું પાપ મંદ હોય, જે સહજમાં છૂટે, નહિ જેવા પ્રાયશ્ચિત્તથી એનો નાશ થાય, સામાન્ય પશ્ચાત્તાપના પરિણામથી એ પાપ મટે, જ્યારે, “એમાં શું! મરે પણ ખરું, એમ કેટલું સચવાય !” એ ભાવનાવાળો પરિણામે નિકાચિત કર્મ બાંધે. સાધુધર્મ તથા ગૃહસ્થ ધર્મના અંતરને સમજીને તેવાં તેવાં વિધાન શાસ્ત્રકારોએ કર્યો પણ ત્યાં હેતુ ન ચૂક્યા. વિધાન સિવાયનું બધું છૂટું એવી આજે માન્યતા થઈ પડી છે તે યોગ્ય નથી. મુનિ માટે ત્રસ અને સ્થાવરના ઘાતનો નિષેધ છે. ગૃહસ્થને સ્થાવરની હિંસા વિના નભી શકતું નથી. ત્રસમાં પણ ગૃહસ્થને નિરપરાધીને સંકલ્પપૂર્વક હણવાનો નિષેધ. એનો અર્થ એ નથી કે એ સિવાયના માટે હણવાની છૂટ. હિંસા માત્રનો નિષેધ જ છે, એ ભાવના નાશ પામી એના પરિણામે એ દશા થઈ કે પ્રસંગે ત્રસને હણવામાં પણ વાંધો શો ?” થોડી પણ છૂટ દુઃખરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy