SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 190 – – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - - ૧૫ यथा - स्वकृतावन्थ्यकर्मविपाकोदयादेतत्, तदुपशमायोपशमः, प्राण्युपमर्दचिकित्सया च किल्बिषानुषङ्ग एवेति, एतदेवाद - पश्यैतद्विमलविवेकावलोकनेन यथा 'नालं' न समर्थाः चिकित्साविधयः कम्मोदयोपशमं विधातुं । यद्येवं ततः किं कर्त्तव्यमिति दर्शयति - 'अलं' पर्याप्तं तव' सदसद्विवेकिन: ‘एभिः' पापोदानभूतैश्चिकित्साविधिभिरिति । ભાવાર્થ આ ગંડ, કોઢ, ક્ષય વગેરે ઘણા રોગોને ઉત્પન્ન થયેલા જાણીને તે રોગોની વેદનાથી વિહ્વળ બનેલા એની ચિકિત્સા માટે જીવોને પરિતાપ પહોંચાડે છે. “લાવક પક્ષીનું માંસ ખાવાથી ખરેખર ક્ષયનો રોગ શાંત થાય' વગેરે વાક્યોને સાંભળી જીવવાની આશા-ઇચ્છાથી પ્રાણીની મોટી પણ હિંસા માટે પ્રવર્તે. પરંતુ આવું માનવું જોઈએ નહિ. કેમકે - પોતાનાં કરેલાં અને અવશ્ય ફળદાયક એવા કર્મ-ફળનાં ઉદયથી જ રોગો ઉત્પન્ન થાય છે અને તે કર્મોના ઉપશમથી એ રોગોનો ઉપશમ થાય છે. એ માટે પ્રાણીઓની હિંસા થાય એવી ચિકિત્સા કરવી એ અત્યંત હલકાઈ-કિલ્શિષપણું જ છે. માટે જ કહે છે કે – વિમલ વિવેક રૂપી દષ્ટિથી આ તું જો. કારણ કે, ચિકિત્સા-ઉપચારની વિધિઓ કર્મોદયનો ઉપશમન કરવા માટે સમર્થ નથી, તેથી એવા ઉપાયો કરવાથી સર્યું. જો આમ છે, તો પછી શું કરવા યોગ્ય છે તે જણાવે છે - સારાં-નરસાંનો વિવેક ધરાવનાર એવા તારે પાપનો આશ્રવ કરાવનાર આ ચિકિત્સા પ્રકારો વડે સર્યું. અર્થાત્ એવી ચિકિત્સાઓ ન કરવી. આ સંસારના જીવો ઘણા દુઃખી છે અને કામાસક્તિને લઈને દુઃખમાં સુખ માને છે. તેમની એ ભ્રાંતિ ટાળવા માટે દુઃખનો પોકાર વારંવાર કરવો પડે છે. આ વાત હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મા ધર્માભિમુખ ન થાય. કામાધીન આત્માઓ આ નાશવંત શરીર માટે એવી કાર્યવાહી કરે છે કે જેના પ્રતાપે આ લોકમાં અનેક પ્રકારની આપત્તિઓ વેઠે છે અને પરલોકમાં તો તેમના માટે દુઃખ નિયત છે. કામાસક્તોને કાર્યાકાર્યનો વિવેક હોતો નથી. ભવિષ્યના પરિણામની દરકાર એ કદી રાખતો નથી. કામાસક્તિના યોગે કરેલી હિંસાના કારણે જીવને અનેક વ્યાધિ થાય છે. એ વ્યાધિના નાશ માટે એ ફરીથી જીવઘાત કરે છે. પરિણામે પોતાના રોગને સ્થાયી કરે છે અને વધારે છે. શરીરના રોગ માટે બીજા જીવોની હિંસા થતી હોય તો તે કરવામાં વાંધો નથી એમ આજના જમાનાવાદીઓ કહે છે. પોતાના જીવ માટે અન્ય જીવોનો નાશ એ ધર્મ નથી, એ વાત જમાનાવાદીઓ સમજવા તૈયાર નથી. પૂર્વે કરેલી હિંસાથી રોગ થાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy