SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ – – આચારસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -- - 1895 તો સાધર્મિકને કેમ ન સંભારો ? કન્યા બીજે દેવી હોય તો યોગ્યને ત્યાં કેમ ન દેવી ? આથી વેપાર કરવાનું કે કન્યા દેવાનું હું તમને નથી કહેતો હોં! મુદ્દો એ છે કે બેયનો ધર્મ સચવાય એવું કેમ ન કરો ? સંયોગો એવા મેળવો કે બેય ધર્મી થાય અને તમારો અંકુશ પણ રહે. આજે તો મોટરગાડીની ફિકર છે પણ સંતાનના ધર્મ અધર્મની દરકાર નથી. સંતાનને અરધો રોટલો મળે એનાથી પેટ ભરે એ સારું પણ ધર્મહીન થઈ મોટરો ફેરવે એમાં તો એના આત્માની અધોગતિ થાય. પોતાનું સંતાન મંદિરે ન જાય, સાધુ પાસે ન જાય તો માબાપને દુઃખ થાય. બધી વાતો અણિશુદ્ધ પૂરેપૂરી સાંભળજો. બહાર જઈને એમ ન કહેતા કે મહારાજ સંસારની વાત કરતા હતા. અનેક ગ્રંથોમાં એમ લખ્યું કે કન્યા આને અપાય. આ આને અપાય એમ કહ્યું એનાથી લઈ પડ્યા કે શાસ્ત્રમાં પણ લગ્ન કરવાનું કહ્યું છે, પણ એ નથી સમજતા કે કન્યા આપવી પડે તો આને અપાય કે જેથી ધર્મને બાધ ન આવે. શાસ્ત્ર કહ્યું કે જેને વચન, વિભક્તિ તથા શબ્દનું જ્ઞાન ન હોય એને બોલવાનો અધિકાર નથી. જેને બોલવાનો અધિકાર ન હોય એને પાટે બેસવાનો અધિકાર હોય ? સાવધ નહિ રહો તો માર ખાશો? સાધર્મિકને ન્યાત તરફથી આપત્તિ અપાતી હોય તો અન્ય ધર્મીઓએ એની સંભાળ લેવી જોઈએ. સાવધ નહિ થાઓ તો માર ખાશો. આવા વખતે સાધર્મિક સાધર્મિકને આશ્રય આપે એમાં દોષ નથી, લાભ છે. ન્યાતનાં બંધન ત્યાં ન જોવાય. બાળક બેઠાં બેઠાં મોજથી ખાય એમાં માબાપ રાજી હોય પણ એવું બને ક્યાંથી ? પછી મોટો થાય એટલે બાર કલાકની મજૂરી (નોકરી) પણ કરાવો છો ને ? કમાવા માટે વિલાયત પણ મોકલો છો ને ? અમુક ક્ષેત્રની મર્યાદાની પ્રતિજ્ઞા કરી હોય એ વાત જુદી. શાસ્ત્ર વિધિ બાંધી પણ મર્યાદાપૂર્વક ત્રિકાળ પૂજાનો અમુક નક્કી સમય, પણ જેને અમુક સમય ન મળે તે પોતાને મળતા સમયે પૂજા કરે. ભલે રોજ એમ કરે તોય એ કાયમી વિધિ છે. માબાપ અનુમતિ આપે તો અનુમતિ લઈને દીક્ષા લેવી, ન આપે તો વગર અનુમતિએ પણ દીક્ષા લેવી એ શાસનની અખંડિત વિધિ છે. પ્રતિક્રમણ મોડું થાય એ વાત ખરી પણ તે સમયના અભાવે, નોકરી વગેરેની પરાધીનતાના કારણે, પણ ગપ્પાં મારો, હરવા ફરવા જાઓ, નાટક સિનેમામાં જાઓ અને મોડું કરો તો એ ન ચાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy