SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 1895 – ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ –– ૧૮૭ ન ચાલે એ વાત જુદી પણ એ મનાય કેવી ? મન, વચન અને કાયા એ ત્રણે યોગ સમાન. ઉત્તમ બને તો શ્રેષ્ઠ પણ છેવટ મન વચનથી તો પાપની પ્રશંસા ન જ થાય. પાપને પાપ માનવા છતાં જીવને વળગેલાં શરીરરૂપી ભૂતને સાચવવા કાયાથી અધમ આચાર આચરવો પડે એ વાત જુદી પણ મન, વચન એ આચારને વખાણે તો નહિ જ. આજે તો દરેક વાત સમજાવતાં ભય લાગે છે. આ વાતમાંથી પણ લેનાર એવું લે કે મન સાફ હોય તો ગમે તે કરવામાં વાંધો નહિ. હવે આનો શો ઉપાય ? જેનું મન સાફ હોય તે આવું બોલે જ નહિ. લડાઈમાં લડનારા પણ એવા નિર્ણયવાળા હોય છે કે દુશ્મનનો પ્રહાર આવ્યા વિના પોતે પ્રહાર ન કરે. પ્રહાર આવ્યા પછી કદાચ મૂર્શિત થાય તો ભાનમાં આવે એટલે સંથારો કરે, ચારે આહારનો ત્યાગ કરે અને નવકાર શ્રવણ કરાવવાની માગણી કરી શુભ ધ્યાનમાં મરી સ્વર્ગે જાય. એ બધા યુદ્ધ કરવા છતાં યુદ્ધને ખોટું માનતા. આજે તો કહે છે કે “મન ચંગા તો કથરોટમેં ગંગા.” આ વાત ખોટી છે. આ દેશમાં છૂટાછેડાનો કાયદો હોય? બેયને જે ક્રિયા વિના ન ચાલે તે ભેગા થઈ એમાંથી લાભ મેળવે એ વાત જુદી. પરણવાની કે પરણાવવાની વિધિ નથી પણ તેમ કરવું જ પડે તો, કન્યા લેવી દેવી પડે તો, એવા સંબંધ યોજે કે જેથી ધર્મહીનતા ન થાય. આજે તો એ દશા છે કે ફાવ્યું ત્યાં સુધી એક અને પછી જુદા. આમ લાંબુ ચાલ્યું તો પરિણામ એવું આવશે કે તમારે બજારમાં જવું ભારે પડશે. ઘરમાંથી ક્યારે અને કઈ વસ્તુ લઈને ભાગશે તેની ખબર નહિ પડે. આ તો હવે છૂટાછેડાનો કાયદો કરવા માગે છે. પાશ્ચાત્યોને ધર્મની પરવા ન હોય તેથી એને ત્યાં એ ચાલે, હિંદુસ્તાનની તો એમાં પાયમાલી છે. આંધળાં અનુકરણમાં લાભ નથી : છૂટાછેડાના કાયદાથી આજે જે શાંતિ છે તે નહિ રહે. પશ્ચિમના આંધળા અનુકરણમાં લાભ નથી. મનુષ્ય મટી વાનર બનવાની વિદ્યામાં ફાયદો શું છે ? ત્યાંનું ત્યાં રહેવા દો. અહીંયાં તેનું કાંઈ કામ નથી. આજે પાપમાં પાપ નહિ એમ સમજાવવાની મહેનત થાય છે. એમાં તમારો ફાળો ન આવી જાય એટલી કાળજી રાખવાની છે. તમારે બીજાને પણ પચાસ આપીને અમુક કામ લેવાનું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy