SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 1980 –– ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ - ૧૮૧ પણ આ વાત બરાબર છે ? જાતને જીવાડવાના ધર્મમાં અન્યને મારવાની કરણી હોય ? “જીવતો નર ભદ્ર પામે” એમ કહેવત છે પણ તેથી પાપની કરણીને પુણ્ય કહેવાય ? રક્ષણમાં ધર્મ કહ્યો છે પણ ભક્ષણમાં ધર્મ મનાય ? કર્મવિપાકે રોગ થાય તે કર્મવિપાક શમવાથી મટે. પ્રાણીઓનો નાશ કરી રોગ મટાડાય નહિ. એવું કરનાર માટે શાસ્ત્ર કહે છે કે એ કર્મોદયને ભોગવે છે અને હિંસાથી ડર્યા વિના હિંસામય ઔષધો કરી નવાં પાપકર્મોને મજબૂતપણે બાંધે છે, જે ભવિષ્યમાં ભોગવવા પડશે. અશુભોદય જાગતો રહે અને વ્યાધિ મટે એ માનવું જ નહિ. હિંસા, એ પાપ દરેકને માટે છે : બાહ્ય ઉપચારો તો નિમિત્ત છે. એ નિમિત્તોના સેવનથી વધુ ઘાતક બનાતું હોય તો એવાં નિમિત્તો વર્ષો. એવા સમયે કર્મોદય ચિંતવી શાંતિ રાખવી એ જ ધર્મ છે. મુનિને ઉપદેશ દેતાં શાસ્ત્રકાર કહે છે કે સત્-અસતુના વિવેકવાળા જાગ્રત આત્માઓ અનેક પ્રાણીઓના ઘાતવાળી ચિકિત્સા ન કરે. આ મુનિને ઉદ્દેશીને કહેલ છે, માટે બીજાને નહિ એમ ન સમજવું. હિંસા એ પાપ એ તો દરેકને માટે છે. મુનિના ઉપદેશમાં ગૃહસ્થને પણ ઉપદેશ છે જ. મુનિનું શરીર ઉપકારી છે, સંયમનું આરાધક છે અને અન્યને સંયમમાં જોડનાર છે. એવા શરીરની રક્ષા માટે પણ જો જીવઘાતનો નિષેધ છે, તો જે શરીરથી અનેક જીવોનો ઘાત થાય એવા માર્ગો યોજાતા હોય એવા શરીર માટે હિંસા કરવાની છૂટ હોય ? શાસ્ત્રકારો મુનિને કહે છે કે “ત્રણે જગતના સ્વરૂપના જ્ઞાતા હે મુનિ ! હિંસાથી મોટો ભય પેદા થાય છે માટે તારી જાતના રક્ષણ માટે તું મોટા ભયને પેદા ન કર.” કોઈના જીવનો ઘાત એ એના માટે નાનો ભય છે ? નાનામાં નાનું જંતુ કે જેને કશું જ્ઞાન નથી તે પણ જરા અવાજ માત્ર થતાં ભાગવા માંડે છે. પશુ, પંખી પણ મારનારને નજરે જોતાં કંપે છે. સામાના હાથમાં હથિયાર જોઈ ભાગવા પ્રયત્ન કરે છે અને બંધનમાં હોય તો આંખો ફાડી દયામણા ચહેરે તેની સામે જુએ છે. મરણનો ભય સૌને છે. જેને સંસારની અસારતા સમજાય તેને એ ભય નથી. અનેકને ભય પેદા કરવાથી, એવી કાર્યવાહી યોજવાથી, નિર્ભયતા મળે એ આશા ખોટી છે. જીવાતથી બચવા ત્યાગમાર્ગ છે : એક પણ પ્રાણીને મારવાથી બધાં કર્મોનો બંધ ઉત્કૃષ્ટ પડે છે. આયુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy