SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 179 --- ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? – ૧૨૭ - ૧૭૧ જેના કારણે દુઃખ થાય છે તે રોગનું જ ઔષધ કરવું જોઈએ. નાશવંત શરીરના રોગ માટે ઔષધ કરવાનું તો શાશ્વત્ત આત્માના અનંતા રોગો માટે ઔષધ નહિ કરવાનું ? ઔષધ કડવું ભલે લાગે પણ હિતેષી પાયા વગર રહે નહિ. એ રીતે દીક્ષા પાળવી કઠિન તો લાગે છતાં તમને એ આપવી જ જોઈએ. દીક્ષા એ જેલ નથી : દીક્ષા ક્યારે અપાય, એ માટે આજનાઓ શું કહે છે? કેટલાક તો કહે છે કે વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, સંસાર સંગ્રામ ખેલવાની શક્તિ ન રહે, બધા કામથી નવરો થાય ત્યારે દીક્ષા અપાય. આવાને શું કહેવું ? દીક્ષા એટલે આવા ગળિયા બળદોને ભેગા કરવાની પાંજરાપોળ છે ? આજની બાળદીક્ષા સામેની ઝુંબેશ આ માન્યતાની પ્રતીતિ કરાવે છે. જો તેઓ એટલું સમજતા હોત કે દીક્ષા એટલે ખોડા ઢોરની પાંજરાપોળ નથી, તો બાલદીક્ષા સામે તેમનો વિરોધ ન હોત. તેઓ માને છે દીક્ષા તો દુનિયામાંથી ખાઈ-પી ઊતરેલા ઘરડા લે. તો શું ઘરડાને ખાવા પીવાનું મન નથી થતું? એક કવિ “માયાનું વર્ણન કરતાં કહે છે કે “ઘરડાને ઝાઝરી'. ઊલટી ઘરડાને ઝાઝી ઇચ્છાઓ થયા કરે છે. જન્મની ટેવો બધી ઘડપણમાં બહાર આવે. ઘણા ઘરડા એવા છે કે છોકરાઓ ના પાડે તોય પેઢી પર આવીને બેસે. દીક્ષાનું સ્વરૂપ સમજાયું નથી તેની આ બધી ધાંધલ છે. પણ દીક્ષા એ જેલ નથી. વગર ઇચ્છાએ ટિંગાવાનું એ દોરડું નથી. આત્મકલ્યાણ કરવાની આ તો ઉત્તમ ચીજ છે. ચીજ સારી હોય તો સમજીને ખાઓ કે વગર સમયે ખાઓ તોય સારી જલાગે. ચીજ સારી છે એ નક્કી થાય પછી મન હોય કે ન હોય તોય ખવાય. વૈદ્ય પણ રોગ મટ્યા પછી દરદીને કહે છે કે થોડું થોડું ખાવા માંડો તો શક્તિ આવશે. રુચિ થાય કે ન થાય છતાં થોડું ખાવું ખરું. નહીં ખાઓ તો પથારીમાંથી ઊભા નહિ થઈ શકો. વ્યવહારનો એ કાયદો કે ચીજ સારી સાબિત થઈ પછી રુચિ ન હોય તોય દેવી, કેમ કે પરિણામ સારું છે. સારી મનાતી ચીજ ગમે ત્યારે દેવાય. ઇચ્છાઓ આકાશ જેટલી છે ? જમાનાવાદીઓ કહે છે કે બધી લાલસાઓ પૂરી થાય પછી ત્યાગ કરાય. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે કોઈ એવો જમ્યો નથી કે જેની બધી લાલસા અખંડિતપણે પૂરી થઈ હોય. પૂજ્ય આનંદઘનજી મહારાજ કહે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy