SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ બતાવવાની, ‘આમાં આટલા જીવ અને તેમાં આટલા જીવ' વગેરે વાતોની ઝીણવટ આ જ્ઞાનીઓએ કરી એનો હેતુ, માત્ર તમને હિંસાથી બચાવવાનો છે. સંસારી જીવો અજ્ઞાનથી પાપો આચરી દુર્ગતિમાં ન જાય એ જ તેમનો હેતુ છે. પણ જેમ ‘દુ’ ધાતુનો ગુણ કરવાથી ‘દોષ’ થાય છે; તેમ પંચમકાળના જીવોને હિત પણ અહિત માટે થાય છે. ૧૭૦ ઇચ્છા તો તમારી અમારી એક જ છે : કહે છે કે આવી કાચી ઉંમરનાને ત્યાગ શા ? પણ એવાને રાગમાં કેમ ધકેલો છો, એમ કોઈ પૂછતું નથી. તમે તમારી જાતને, તમારાં સંતાનને, તમારા સ્નેહીને સુખી કરવા ઇચ્છો છો કે દુ:ખી ? તમારી વર્તમાન કાર્યવાહી સુખદાયક છે કે દુ:ખદાયક ? એમાં જો સુખ ન દેખાય તો તમારે અમારી સલાહ માનવાની ખરી ને ? અમારા માટે આ જમાનાવાદીઓનો વિરોધ ક્ષણભર માનીએ કે અમે રોટલા માટે ભારે પડતા હોઈએ તે પણ હોઈ શકે, જેમ કૃપણની કૃપણતા એને ઉદાર પાડોશીનો પણ વિરોધ કરાવે છે, પણ આ પૂર્વના મહાપુરુષોનો વિરોધ શા માટે ? એનું કારણ એક જ છે કે એમની માન્યતા પર એ મહર્ષિઓ આક્રમણ કરે છે. તમારી કાર્યવાહીથી તમારી જાતને કે તમારા સંતાન વગેરેને સુખ થતું હોય તો અમારે કાંઈ કહેવાનું જ નથી. તમારી એ પ્રવૃત્તિના ખંડનની કે એના પ્રતિપક્ષી ઉપદેશની પણ જરૂર નથી, કેમ કે તમારા માટે તમે જે ઇચ્છો છો તે જ અમે પણ ઇચ્છીએ છીએ. તમારી ઇચ્છા સુખની છે તો અમારી પણ તમને સુખી કરવાની જ ઇચ્છા છે. ઇચ્છા તો બેયની એક જ છે પણ કાર્યવાહીમાં ભિન્નતા છે, કારણ કે તમે દુઃખમાં સુખ માન્યું છે. અમારી મહેનત શા માટે ? માટે, સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે ‘સંસારમાં મહાદુઃખ છે' એવી બૂમ વારંવાર પાડવાની જરૂર છે. વર્તમાન વાતાવરણનો એવો અભ્યાસ ક૨વો જોઈએ કે જેથી બરાબર સ્થિર થઈ જવાય અને માર્ગથી કોઈ જરાય ચલાવી ન શકે. એ હેતુને સફળ કરવા આ બધી મહેનત છે. અનાદિ કાળથી આ આત્મા સંસારમાં અનંત દુ:ખો ભોગવી રહ્યો છે તે હવે ભોગવવાં ન પડે તે માટે જૈન શાસ્ત્રકારોએ દીક્ષા ઊભી કરી છે. રોગીએ નીરોગી બનવા માટે દવા ખાવી પડે અને કુપથ્યનો ત્યાગ કરવો પડે. વૈદ્ય પણ એમ જ સમજાવે છે. શાસ્ત્ર પણ કહે છે કે Jain Education International 1878 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy