SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ 1887 – ૧૦ – સંસાર દુઃખમય લાગે તો બચાય : - ૧૨૫ - ૧૫૯ એ અંતર્મુહૂર્તનો તપ અત્યંત કઠિન. ભુજાથી સ્વયંભૂરમણ તરવો સહેલો પણ આ તપ કરવો અઘરો. છઠ્ઠા સાતમા ગુણઠાણાથી આગળ વધવું એ મહાભારત કામ છે. બારમું ગુણઠાણું એ વિશ્રાંતિનું સ્થાન ગણાય છે. જબરદસ્ત પુરુષાર્થ કરીને આવેલો આત્મા, કર્મપ્રકૃતિઓને જડમૂળથી નાશ કરતો કરતો આવેલો આત્મા ત્યાં વિશ્રાંતિ લે છે. કેવળજ્ઞાનના પ્રકાશ પહેલાં ત્યાં પ્રાભિજ્ઞાન થાય છે. તેરમા ગુણઠાણે કેવળજ્ઞાનનો સૂર્યોદય થતાં પહેલાંનો એ અરુણોદયનો કાળ છે. અંધારેથી એકદમ અજવાળે આવતાં આંખો અંજાઈ જાય તેથી અનાદિકાળના અંધારામાંથી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન થતાં પહેલાં આ પ્રાભિજ્ઞાન થાય છે. એનો કાળ અતિ અલ્પ છે. અનુભવરૂપ એ પ્રતિભજ્ઞાન થયું કે તરત કેવળજ્ઞાન પેદા થઈ જાય છે. બીજા કોઈ તપમાં નિકાચિત કર્મોને ખપાવવાની તાકાત નથી. આ શુક્લધ્યાનરૂપ તપ નિકાચિત કર્મોને ખપાવી શકે છે. સાચો ગુણ, સાચો ધર્મ હાથમાં આવે એટલે એક પદની આરાધનામાં બધાની આરાધના થાય છે. એકની આરાધનામાં પણ અન્ય સર્વ પ્રત્યે સભાવ છે, કોઈની અવગણના નથી. આ શાસનમાં પદની પૂજા છે. વ્યક્તિની નથી : સાચું દાન દેનારો શીલ, તપ, ભાવને પણ માને છે. કોઈ કહે કે હું તો અરિહંત પદને પૂજું, બીજાં પદોને ન માનું, તો શાસ્ત્ર કહે છે કે એ અરિહંતની પૂજા નથી. કોઈને પૂજામાં બહુ આનંદ આવે તો ભલે એ પૂજા કરે પણ એને બીજી ક્રિયા પર અનાદર ન હોય, આદર હોય. એ ક્રિયાઓમાં પણ મન ક્યારે સ્થિર થાય એ ભાવના એના મનમાં હોય.જેને અરિહંત ગમે તેને સિદ્ધ ન ગમે ? સાધુ ન ગમે? સાધુ પર પ્રેમ હોય એને અરિહંત પર પ્રેમ ન હોય ? આ શાસનમાં પદની પૂજા છે, વ્યક્તિની પૂજા નથી. પરમેષ્ઠી પદ પાંચ છે. વ્યક્તિપૂજાની આ શાસનમાં ના પાડી છે. વ્યક્તિનો પૂજારી તો ભગવાનને પણ ભૂલે. ગુણને લઈને વ્યક્તિની પૂજા થાય તો એમાં વાંધો નથી. તમે અમારા ક્યારે ? ભગવાન મહાવીરદેવના હો તો. ભગવાન મહાવીર દેવના ન હોય ને અમારા થાય તો અમને અધવચ્ચે લૂંટાવે અને કદાચ એમના ભેગા ઘસડી પણ જાય. અમારી પાસે આવનારા ભગવાનના હોય જ. અમે પણ ભગવાન મહાવીરદેવના માર્ગ સામે આંખ ઊંચી કરીએ તો અમારો પણ વિરોધ કરનારા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy