SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1900 કમી શી રહે ? દરેક કાર્ય કરતાં તેનું ફળ શું આવશે એનો વિચાર કરાય તો એ સેવતાં, પરિણામમાં અરધો ફરક પડી જાય. જે વસ્તુ ઇંદ્રિયને ખેંચે છે તેનો ઉપભોગ કરતાં પહેલાં વિચારો કે “આ વસ્તુ કેવી છે ? અને એનું પરિણામ શું ?' આટલું વિચારાય તો મનોવૃત્તિમાં અરધો પલટો આવે. આ તો દશા એ છે કે સારું દેખાય કે ત્યાં અંધાપો આવી જાય છે. જોતાંવેંત જ સારી ચીજ હાથમાં લઈને મોંમાં મૂકવાનું મન થઈ જાય છે. પછી એ ચીજ સજીવ છે કે નિર્જીવ છે ? ઘણા જીવવાળી છે કે થોડા જીવવાળી ? એનાથી વિકાર થશે કે નહિ ?' રસનાને આધીન બનેલા જીવો આ વિચાર કરવા થોભતા નથી. આ ચીજ વિકૃતિ કરનાર છે, અભક્ષ્ય છે, ભોગવવા યોગ્ય નથી, આટલું વિચારે તો પણ એટલા રસપૂર્વક ઉપભોગ નહિ જ થાય કે જેટલા રસપૂર્વક વિચાર્યા વિના ઉપભોગ થાય છે. મનુષ્યપણાનું કલંક : ભવિષ્યના પરિણામને વિચાર્યા વિના કાર્યનો અમલ કરનારા મનુષ્યો પોતાના મનુષ્યપણાને કલંક લગાડે છે. ભવિષ્યનો વિચાર કર્યા વિના જ પ્રવૃત્તિ કરવી એ તો મૂર્ખનું કામ છે, શાણાનું નહિ. પરિણામ ધાર્યું ભલે ન પણ આવે પણ પરિણામ કલ્પવું તો જોઈએ ને ? યોગ્ય સ્થાને જવાનું લક્ષ્ય તો નક્કી હોય ને ! પછી ભલે દૃષ્ટિદોષથી કે અજ્ઞાનદોષથી ત્યાં ન પહોંચાય કે મોડે પહોંચાય. અનાદિ ભવના અભ્યાસથી, વિષયાધીન જીવો ભવિષ્યનો વિચાર જ નથી કરતા. તેમને જાગ્રત કરવા માટે જ “સંસારમાં મહાદુઃખ છે' એવો પોકાર વારંવાર જ્ઞાની કરે છે. ભલા માટેની પ્રવૃત્તિમાં પુનરુક્તિ દોષ નથી. એકની એક વાત હિત માટે વારંવાર કહેવામાં વાંધો નથી, પછી ભલે એમાં રૂપક બદલાય, વર્ણન કરતાં દલીલ બદલાય, હેતુ ફરે પણ ધ્યેય તો એક જ ને ! એ ધ્યેય એક જ હોય તો જ તે સ્મૃતિમાં રહે. વારંવાર કહેવા છતાં પણ જો વિષયાધીન આત્મા જાગ્રત નથી થતા, તો ન કહેવાય અથવા જુદું કહેવાય તો એ શાના જાગે ? નરકાયું એ પાપ-આયુ છે : મનુષ્યનું શરીર ઔદારિક છે. એમાં પહેલું સંઘયણ અથવા બળવાન કાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy