SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ જ્ઞાની કહે છે કે સહેલું નથી માટે તો અભ્યાસ પાડવાનું કહેવામાં આવે છે. પક્ષી પણ માળો કેવી રીતે બાંધે છે ? પચાસ વાર ઘાસનાં તરણા લાવે, પડી જાય, પાછાં લાવે પણ થાકે નહિ, ત્યારે માળો બંધાય. એવો બંધાય કે બે પોતે ને બે બચ્ચાં, ચાર અંદર રહે છતાં માળો પડે નહિ. તરણું પડ્યું ને ગુસ્સો કર્યો હોત તો માળો બંધાત ? પક્ષીમાં પણ અક્કલ છે તેટલી માણસમાં નથી ? છે, પણ ધર્મ પ્રત્યે રાગ નથી. એવી સમજ આવી ક્યાંથી ? પડવાની કે જવાની બીકે સારી વસ્તુનો સ્વીકાર ન કરવો એવી સમજ આવી ક્યાંથી ? સારી વસ્તુ આવી અને દુર્ભાગ્યે જતી રહે એ બને પણ એવો ડર રાખી એનો સ્વીકાર જ ન કરવો એવું હોય ? વ્યવહારમાં તો સારી વસ્તુ આવીને જાય પણ છે છતાં એને લેવા તનતોડ પ્રયત્ન કરો છો ને ? લાખ આવીને ગયા પણ જે પાંચ-દસ વરસ ભોગવ્યાં, મોટ૨માં ફર્યા, એ સ્વાદ ગયો ? ખાવાથી અજીર્ણ થાય છે માટે ન ખાધું એ બન્યું ? અહીં તો પડવાના ભયે ચડવું નહિ એ નક્કી કર્યું. શાસ્ત્ર કહે છે કે આ નિયમ જો રૂઢ થાય તો શું થાય ? એક આત્મા ધર્મ લેવા આવે, એને કહેવામાં આવે કે ધર્મ લઈને પાળવો ભયંકર કઠિન છે, કોઈ વિરલાનું જ એ કામ, તારા જેવાનું કામ નહિ.' આ સાંભળી પેલો ૨વાના થઈ જાય, એ માને કે મહારાજ પણ ભયંકર કઠિન કહે છે, માટે નક્કી કરે કે આપણાથી એ ન બને. શાસ્ત્રકાર કહે છે કે પોતાની પાસે આવનારને આવું કહેનાર એ પાપોપદેશક છે, ઘોર પાપાત્મા છે. બચ્ચું ચાલવાનું શરુ કરે ત્યારે પચીસ-પચાસ વાર પડે છે. મા જાણે છે કે એ પડશે જ. છતાં ‘કાંઈ નહીં’ એમ કરીને પડવા દે છે અને ધીરે ધીરે ચાલતું કરે છે. ‘પડી જશે’ એવી બીક રાખી બેસાડી રાખે તો ? બાળકની ચાલવાની ઇચ્છા હતી ? કેડે બેસતો બંધ કરવા કેટલી વાર રોવડાવવો પડે છે ? ધર્મ લેવા આવનારને કહીએ કે ‘તારું કામ નહિ,’ તો એને તો એટલું જ જોઈતું હતું, એને ફાવતું આવી ગયું. એને પહેલાં તો ધર્મની ઉત્તમતા સમજાવાય, આ બધું ખોટું છે એમ જણાવાય, પછી ધર્મ અપાય, ત્યાર પછી કહેવાય કે ‘જો ! લીધો એ બહુ સારું કર્યું પણ હવે લીધો છે તો બરાબર પાળજે. આ લીધેલો નિયમ તૂટે તો બહુ ભયંકર નુકસાન થાય. એમ વસ્તુ આપ્યા પછી કહેવાય. ૧૩૦ ... Jain Education International For Private & Personal Use Only 1838 www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy