SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 11 – ૮ – પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪ - ૧૨૯ કહે કે એ પળે નહિ, તટે તો પાપના ભાગીદાર થઈએ, માટે લેવા જ નહિ. ત્યાં આ રીતે જ વિચારે છે. પણ પાળનાર કરતાં ભાંગનાર ઘણા નીકળશે એ જ્ઞાની જાણતા હતા. ચડનારા બધા ચડવાના નથી એ પણ જ્ઞાની જાણતા હતા. ઘરનો માલિક નિસરણી બનાવતાં જાણે છે કે આ નિસરણી પરથી છોકરાં ક્યારેક પડવાનાં પણ ખરા, તોય નિસરણી કરે છે ને ? શું એ નિસરણી પાડવા માટે કરે છે ? ના, નિસરણી વિના બીજા માળે જવાય નહિ, માટે કરે છે. ત્યાં સમજણ છે કે એ તો પડાય પણ ખરું પરંતુ નિસરણી વિના ન ચાલે. પડાય છે માટે ચડવું ગેરવાજબી નથી : ચડીને પડે છે માટે ચડવું ગેરવાજબી હોત તો શ્રી જિનેશ્વરદેવો નિયમની વાત કરત ? અનંતજ્ઞાની જાણે છે કે પડનારા નક્કી છે. એક એકડો પાંચસો વાર ભૂંસાય ત્યારે આવડે. પહેલાં તો હાથ આડો જ જાય, સીધો જાય જ નહિ. બે-પાંચ દિવસ તો શિક્ષક કાંઈ કહે જ નહિ, હાથ પકડીને ઘુંટાવે. બાળકનો હાથ પર અંકુશ નથી, બાકી હાથ આડો જાય એમ બાળક ઇચ્છતો નથી. એ એ જ બાળક ધીરે ધીરે એવા અક્ષર કાઢતો થાય કે જાણે મોતીના દાણા જ જોઈ લો. શિક્ષક જાણે છે કે એક એકડો શીખતાં હેરાન કરી નાંખશે છતાં શીખવાડે છે. એકડો શીખતાં, કક્કો શીખતાં, જમીન પર પગ ગોઠવતાં કેટલી મુશ્કેલી પડે છે ? તો અનંતજ્ઞાનીએ કહેલા માર્ગે ચડતાં મુશ્કેલી ન પડે ? એકડો, કક્કો કે ચાલવું એ તો અનાદિકાળના અભ્યાસની વસ્તુ છે છતાં મુશ્કેલી પડે છે, તો આ તો તદ્દન અપરિચિત માટે એમાં પડાય પણ ખરું. પોતે ચડે નહિ અને બીજા ચડવા જતાં પડે એની મશ્કરી કરે તો તો દુર્લભબોધિ બનાય. વેપારી જેટલી અક્કલ અહીં પણ ચલાવો : કોઈ પડે તો કહે કે “જોયું અમે નહોતા કહેતા કે રહેવા દો ચડવું, કઠણ છે, પડી જવાશે.” શાસ્ત્રકાર કહે છે કે આવી વાત કરનારા મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ કદી આવું ન બોલે. બજારમાં કોઈ દેવાળું કાઢે તો વેપારી એમ જ કહે કે “હોય ભાઈ ! હમણાંની બજાર જ એવી છે.' પોતે મનમાં વિચારે કે મારે પણ સાવધ રહેવું પડશે. એ પેલાને એમ ન કહે કે કેમ, દેવાળું કાઢ્યું ને? શું કામ પેઢી ખોલીને બેઠા ?' વેપારી જેટલી અક્કલ અહીં પણ ચલાવો. કહે છે કે, “બહુ કઠણ છે, લોઢાના ચણા ચાવવાના છે, આ કાંઈ સહેલું નથી.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy