SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ 1935 – ૮ – પડવાનો ભય. છતાં ચડવું અનિવાર્ય – ૧૨૪ - ૧૨૭ ફૂટ્યું અને હવે મુક્કા મારી હાથ ભાંગે, એ કેવો બુદ્ધિનો નિધાન ? આ સ્વભાવ કૂતરા જેવો ખરો ને ? આ તો કહે છે કે બધાને કુતરા કહ્યા. હું તો કહું છું કે આ સ્વભાવ મનુષ્યનો તો નથી જ, કૂતરાનો છે. આ સ્વભાવ છોડવો તે વિવેકીનું કામ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સિંહ બાણ સામે નજર નથી કરતો પણ તીરછી નજરથી બાણની દિશા તરફ જુએ છે અને બાણ ફેંકનારો દેખાય કે સીધી ત્યાં તરાપ મારે છે. બાણને કરડવા જાય તો પ્રાણ ગુમાવે. કૂતરો તો આવેલા પથ્થરને બચકાં ભરે, એમ કરવાથી દાંતમાંથી લોહી નીકળે ત્યારે એ લોહી પોતાનું છતાં પથ્થરનું માની ચાટવા લાગે અને આનંદ પામે, એવી એ મૂર્ખ જાત છે. ડાહ્યો માણસ એવો ન હોય. દુઃખનું નિદાન શોધી લાવો : આજે ફરિયાદ છે કે વેપાર ધંધા નથી, પેટમાં ખાડો છે, તો ધર્મ શી રીતે કરીએ ? હું કહું છું પેટમાં ખાડાની વાત કરી ધર્મની અવગણના કરશો તો એ ખાડો વધારે મોટો થશે. દુઃખનું નિદાન શોધી લાવો. જ્યારથી ધર્મ પર ઘા પડવા શરૂ થયા ત્યારથી દુઃખ આવવા લાગ્યાં. ધર્મ તરફ બેદરકારી વધી તો પરિણામ એ જ આવવાનું છે. નિદાન સુધી પહોંચો નહિ અને વચ્ચે બાથોડિયાં મારો તો પરિણામ શું આવે ? ધર્મી ગણાતાને પણ આજે આ શિખામણના શબ્દો ખટકે છે એનું કારણ શું? કારણ કે એ નિર્વિવેકી બન્યા છે. પોતાની જાતને મહાધર્મી ગણાવી અહીં “હાજી, હાજી' કરી બહાર જુદું બોલે છે, એનું શું થાય ? આવાઓ પાછળ ગમે તેમ બોલે તેની દરકાર નથી. અહીં આવનારનું ભૂંડું ન થાય માટે આટલી સૂચના કરું છું. ભૂલ દેખાશે, ભૂલ સંભળાશે, ભૂલની સંભાવના જણાશે ત્યાં વીણી વીણીને બતાવીશ. હું માનું છું કે મારી પાસે આવનારા પોતાની ભૂલો તથા ખામીઓ તપાસરાવવા તો આવે છે. કલાકોનો ટાઇમ બગાડી અહીં આવનારાઓ એવા મૂર્ખ નથી કે પોતાની ભૂલો સમજવા ન માગતા હોય, એવું હું માનું છું. વિવેકીને શિખામણના શબ્દો કડવા ન લાગે : તમે ભૂલો સમજવાની બુદ્ધિએ અહીં આવો ત્યારે ભૂલો સમજાવવામાં કમી રખાય ? તમે અહીં ગુણ સાંભળવા આવો છો કે દોષ ? દોષો સાંભળીને તજ્યા વિના ગુણો આવશે પણ નહિ, કદાચ હશે તો વધશે તો નહિ પણ દીપશે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy