SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ જમીન, આટલા હળ, સંખ્યાબંધ ગોકુલ (હજારો ગાયોનું એક ગોકુલ) અને પાર વગરની ઋદ્ધિ સિદ્ધિ ધરાવતા હતા. આવા મહાપરિગ્રહી છતાં એકાવતારી થયા ને ? તો અમને શો વાંધો ! નાહક ભય ન બતાવો. ત્યાગની વાતો એ ગાંડપણ છે. પ્રભુના શાસનમાં તો પરિગ્રહી પણ એકાવતારી થયા છે. ત્યાગની કાંઈ જરૂ૨ નથી. પ્રભુનું શાસન તો એવું મજેનું છે કે, મહાપરિગ્રહધારીઓ પણ મુક્તિએ જઈ શકે છે. ભગવાનશ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ચક્રવર્તી હતા, છ ખંડ પૃથ્વીના માલિકો હતા, એક લાખ બાણું હજાર અંતઃપુરના સ્વામી હતા. એ બધું ભોગવીને પણ એ મુક્તિએ ગયા તો આજના શ્રાવકો થોડું ઘણું ભોગવે એમાં એની મુક્તિ અટકી જાય ? સ્થૂલિભદ્ર બાર બાર વર્ષ વેશ્યાને ત્યાં રહ્યા તોય ચૌદ પૂર્વી થયા, માટે વેશ્યાગમન એકાંતે પાપ નથી.” આવું આવું બોલાય તે ધર્મકથા કે પાપકથા ? ‘અમારા પૂર્વજોએ આટલું આટલું કર્યું તો અમે પણ એમાંનું થોડું ઘણું કરીએ તેમાં શો વાંધો ?' એવી ભાવના પ્રભુનું શાસન મળ્યા પછી ન આવવી જોઈએ. જ્ઞાનીઓએ કથાનકો શા માટે લખ્યા ? 1817 આણંદ - કામદેવ એકાવતારી કેમ થયા ? તેઓ પ્રભુના શ્રાવક ક્યારે બન્યા ? એ દૃષ્ટાંત પાછળ રહેલી ભાવના સમજવાની જરૂ૨ છે. એ ભાવનાને પોષવા માટે પૂર્વાચાર્યોએ ડગલે ને પગલે નિર્વેદ તથા વૈરાગ્યને ગોઠવેલ છે; પરંતુ આજે તો એ જ ખટકે છે. આજના લોકોને આણંદ-કામદેવની અઢળક લક્ષ્મી, બહોળો કુટુંબ પરિવાર એ બધાનું વર્ણન ચાલે એ ઈષ્ટ લાગે, ત્યાં સુધી રસપૂર્વક સાંભળે પણ પછી બીજું આવે એ ન પાલવે. જ્ઞાનીઓએ કથા લખી તે એ બધું જ કેવળ સંભળાવવા માટે નહિ, પરંતુ એ બધું હોવા છતાં એમણે જે નવું કર્યું તે સંભળાવવા માટે. કલ્પસૂત્રમાં સાધુના ચાતુર્માસ માટે ક્ષેત્રના તેર ગુણ જોવાના કહ્યાં. આમાં એક ગુણ એ પણ કહ્યો કે જ્યાં ગૃહસ્થો ધન-ધાન્ય, કુટુંબ પરિવારથી પરિપૂર્ણ હોય અને જ્યાં દહીં, દૂધ, છાશ વગેરે પ્રચુર પ્રમાણમાં મળતાં હોય. આવા ક્ષેત્રમાં સાધુએ રહેવું. હવે આ વાત પકડીને તેઓ કહે છે કે, ‘જોયું ! શ્રાવક કેવા જોઈએ ? દરેકના ઘે૨ ગાય, ભેંસ વગેરે હોય તેવા.’ હવે જેને ઘેર બે-પાંચ ગાય કે બે-પાંચ ભેંસ ન હોય તે શ્રાવક ખરો કે નહિ ? એની સામે આપણે એ જ કલ્પસૂત્રમાંથી Jain Education International ૧૦૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy