SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 1800 --- ૬ - દષ્ટાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ - ૧૦૧ તેરગુણ કહ્યા છે. તેમાં એક ગુણ એ પણ છે કે, “જ્યાં શ્રાવકના ઘરો ધનધાન્યથી ભરપૂર હોય અને પ્રચૂર દૂધ દહીં ઉપલબ્ધ હોય.” આ વાત પકડીને કહે છે કે, જોયું! શ્રાવકનાં ઘર કેવા હોય ? ગોરસથી ભરપૂર હોય એમ શાસ્ત્ર કહે છે. ગાયભેંસ હોય તો ગોરસ થાય ને ? માટે જોડો હાથ ને પાંચ પાંચ ગાય રાખવાનો નિયમ કરો.' આવું બોલનારને તે વખતે ત્યાં કોઈ શ્રાવકે ઊભા થઈને પૂછવું જોઈએ કે “મહારાજ ! કલ્પસૂત્રમાં તો શ્રી જિનદાસ શેઠની વાત પણ આવે છે. પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં એમને ચતુષ્પદ નહિ રાખવાનો નિયમ હતો તો એ ઊંચા કે પાંચ ગાયો રાખનાર શ્રાવક ઊંચો ?” તો એ જવાબ નહિ આપી શકે. વ્રતધારી જિનદાસ શ્રાવકને પાંચમા વ્રતમાં ચતુષ્પદ નહિ રાખવા એવો નિયમ હતો. ઘરે દૂધ આપવા આવતા ભરવાડના કુટુંબ સાથે એમને સંબંધ હતો. ભરવાડને ત્યાં લગ્નપ્રસંગે શેઠની ઘણી સામગ્રી એને વાપરવા મળી તેથી એનો પ્રસંગ બહુ દીપ્યો. ખુશ થયેલા એણે નવા તાજા બે બળદની જોડ શેઠને કહ્યા વિના એમને ત્યાં બાંધી દીધી. શેઠે વિચાર્યું કે હવે જો પાછા આપીશ તો બિચારા ધૂંસરીમાં જોડાશે અને દુઃખી થશે. તેથી શેઠે ઘરે રહેવા દીધા. એમને સૂકું ઘાસ અને પ્રાસક પાણી નિર્વાહ માટે આપતા. શેઠ સામાયિકમાં ધર્મ કથા મોટેથી વાંચતા અને બળદો પણ તે સાંભળતાં. આમ તે બળદો શેઠના સાધર્મિક બની ગયા, ભદ્ર પરિણામી થયા. શેઠ પર્વતિથિએ પૌષધોપવાસ કરે ત્યારે બળદો પણ ઘાસ પાણી ન વાપરતા ને ઉપવાસ કરતા. શેઠ જે કાંઈ સ્વાધ્યાય કરે તે સાંભળવામાં દિવસ પસાર કરતા. એવામાં એક દિવસ કોઈ તહેવાર પ્રસંગે ગાડા દોડાવવાની હરિફાઈ માટે શેઠનો કોઈ મિત્ર શેઠને પૂછ્યા વિના એ હૃષ્ટપુષ્ટ બળકોને લઈ ગયો અને ગાડામાં જોડીને ખૂબ દોડાવ્યા અને પછી ગૂપચૂપ પાછા મૂકી ગયો. કોઈ દિવસ ગાડામાં નહિ જોડાયેલા બળદો અત્યંત ત્રાસ પામ્યા અને તેમના સાંધા તૂટી ગયા. અત્યંત પીડાવા લાગ્યા. તેમની આવી હાલત જોઈને શેઠની આંખમાં આંસુ આવી ગયા. છેલ્લી ઘડીએ ચારે આહારના પચ્ચખાણ કરાવી નવકાર સંભળાવ્યો. બળદો શુભ ધ્યાનમાં મરીને દેવલોકમાં ગયા. ત્યાં ઉત્પન્ન થતાં જ ભગવાન મહાવીરદેવને નાવડીમાં થયેલો ઉપસર્ગ દૂર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy