________________
૯૨
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
- 100
કરી છે પણ તેમાં ખામી એક મોટી છે કે ઠેકાણે ઠેકાણે તેમાં ત્યાગ ને વૈરાગ્ય જ ભર્યો છે. જો એ એમાંથી નીકળી જાય અને શૃંગાર બરાબર રેડાય, તો દુનિયા હોંશે હોંશે આ સાહિત્ય વાંચે. સંસાર ખીલી ઊઠે અને એ સાહિત્યની બોલબાલા થઈ જાય. એક જણ લખે છે કે - “આજે એવા લેખકની જરૂર છે કે જે જેનકથાઓમાંથી ત્યાગ વૈરાગ્યને દૂર કરી એ કથાઓને યોગ્ય રૂપે લોક સમક્ષ મૂકે તો એનાથી દુનિયાને મોટો ઉપકાર થાય.” પણ એનામાં અક્કલ નથી કે ત્યાગ વૈરાગ્ય નીકળી ગયા પછી એમાં રહે શું ? ખાલી પ્રાણ વિનાનું ખોખું. સભા : એમ કરવામાં તો ઇતિહાસનું પણ ખૂન થાય ને ?
ઇતિહાસનું, સત્યનું કે જગતનું ખૂન થાય તો એની પરવા કોને છે ? એમને એની કાંઈ પરવા જ નથી. જીવન કોનાં લખાય ?
પૂર્વના મહાપુરુષોએ વાસુદેવ-ચક્રવર્તીઓની સાહ્યબીનાં વર્ણન શા માટે લખ્યાં ? એ શલાકા પુરુષો હતા માટે. શલાકા એટલે અર્ધ્વપુદ્ગલ પરાવર્તમાં નક્કી મોક્ષે જનારા. એમના એકડા નિયત થયેલા હતા. ભયંકર કટોકટીના સમયે પણ જૈનશાસનનું જવાહિર એ બતાવતા. યુદ્ધભૂમિમાં વાલીએ રાવણને કહ્યું કે “નાનામાં નાના જંતુની વિરાધના ન કરનારા છતાં પેસેંદ્રિયની કતલ આપણે કરીયે તે વાજબી નથી.” હું અને તું બન્ને શ્રાવક', આ શબ્દો બોલતાં તો બન્નેયનાં હથિયાર નમી ગયાં. એ હતા તો આરંભી, યુદ્ધભૂમિમાં હતા, રાજ્યલોભ ગયો ન હતો, લડાઈ ન કરવી એવી પણ ભાવના ન હતી, પણ હું અને તે બન્ને શ્રાવક,' એ શબ્દ બોલતાં અરેરાટી થઈ ગઈ. ભયંકર અવસરે જૈનશાસનનું જવાહિર બતાવનારા એ મહાપુરુષો હતા, માટે એમનાં જીવન લખાયાં. બાકી ગમે તેના જીવન લખવાં હોય તો આજે માણસો ક્યાં ઓછા છે ? તમારામાંથી રોજ એક એકનું લખવા માંડીએ. શાસન એ જ આપણો શબ્દ :
સંસારની કથા તો તમારા જીવનમાંથી મળે એવી એ પૂર્વ પુરુષોના જીવનમાંથી ન મળે. એમણે તો અવસર પામીને સંસારને લાત મારી છે, જ્યારે તમે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org