SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભાવઅંધકાર અને દુર્ગતિના દારુણ વિપાકો : અંધતા અને અંધકાર : સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ, સંસારવર્તી પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન કરવાના હેતુથી રં સુખદાદા તer” તે યથાવસ્થિત કર્મવિપાકને યથાસ્તિતપણે જ આવેદન કરતા મને હે ભવ્યો ! તમે સાંભળો આ પ્રમાણે ફરમાવીને પુનઃ પણ કર્મવિપાકની ગરિષ્ઠતાનું જે પ્રતિપાદન કર્યું છે તે અને તેની વ્યાખ્યા કરવા પૂર્વે ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજાએ, સંસારની ચારેય ગતિઓની દુઃખમયતા વર્ણવી એ આપણે જોઈ આવ્યા. ચારે ગતિના જીવોની દુઃખદ દશાનું વર્ણન કર્યા બાદ “ સુદ નહીં તદા” પછીના બીજા સ્ત્રાવયવોની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે - "तदेवं चतुर्गतिपतिताः संसारिणो नानारूपं कर्मविपाकमनुभवन्तीत्येतदेव सूत्रेण दर्शयत्राह-" સંસારવર્તી પ્રાણીઓ, ચારે ગતિઓમાં પરિભ્રમણ કરતાં અનેક પ્રકારની વેદનાઓનો અનુભવ કરે છે તે કારણથી “ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે કર્મની વિવશતાથી ચાર ગતિમાં પડેલાં સંસારી પ્રાણીઓ વિવિધ પ્રકારના કર્મવિપાકને અનુભવે છે. એ પ્રમાણે એ જ વસ્તુને સૂત્રકાર પરમર્ષિ, સૂત્ર દ્વારા દર્શાવવા માટે ફરમાવે છે કે - તિ પUT ગંધા ત વિવાદિયા” “ત્તિ' વિઇને પ્રા:' પ્રતિઃ “ઝાદ' ચક્ષુરિજિવિતા માવા ગર सद्विवेकनिकलाः 'तमसि' अन्धकारे नरकगत्यादौ भावान्धकारे ऽपि मिथ्यात्वाविरतिप्रमादकषायादिके कर्मविपाकापादिते व्यवस्थिता व्याख्याताः" વિશ્વમાં બે પ્રકારનાં અંધ પ્રાણીઓ વર્તે છે - એક “ચક્ષુ ઇંદ્રિયથી રહિત અને બીજા સવિવેકથી રહિત અને એ બન્ને પ્રકારના જીવો, કર્મના વિપાકથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy