SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૫ - 10 આયુષ્ય બાંધે છે ? નરકનું આયુષ્ય કેવો આત્મા બાંધે એનું વર્ણન કરતાં પ્રકરણકાર પરમર્ષિ શ્રી દેવેંદ્રસૂરીશ્વરજી મહારાજા “કર્મવિપાક' નામના પ્રથમ કર્મગ્રંથમાં ફરમાવે છે કે – “વંઘા નિયામહામદિરો " “મહાપરિગ્રહી, મહારંભી અને રૌદ્રપરિણામી આત્મા નરકના આયુષ્યનો બંધ કરે છે.” નરકના હેતુઓ : વળી પરમોપકારી પરમર્ષિઓ “મહારંભ, મહાપરિગ્રહ, પંચંદ્રિય જીવોનો ઘાત અને માંસનું ભક્ષણ' – આ ચાર વસ્તુઓને પણ નરકના કારણ તરીકે ઓળખાવે છે. આથી એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે “મહાન આરંભ, મોટો પરિગ્રહ, પંચેંદ્રિય જીવોનો વધ, માંસાહાર અને રૌદ્રપરિણામ' આ બધાં નરકગતિમાં લઈ જનારાં પાપો છે : અર્થાતુ જે કોઈ વસ્તુ આત્માને રૌદ્રપરિણામી બનાવે તે સઘળી જ વસ્તુ નરકમાં લઈ જનાર પાપ તરીકે મનાય છે. આ ઉપરથી -- એ વાત તદ્દન જ સ્પષ્ટ થાય છે કે નરકગતિનાં દુઃખોથી ગભરાનારાઓએ મહારંભ આદિ મહાપાપોથી જ ગભરાવું જોઈએ અને એમાં જ સાચી આસ્તિકતા છે. નરકગતિને માનવાનો દાવો કરવો અને નરકનાં દુઃખો સાંભળીને કંપી ઊઠવું તે છતાં પણ તેમાં લઈ જનારાં પાપોથી સહજ પણ નહિ ડરવું એ કાંઈ સાચી આસ્તિકતા નથી એટલું જ નહિ પણ એક જાતનો દંભ છે. નરકગતિને માનનારો આત્મા, મહારંભ આદિને ખીલવનારી પ્રવૃત્તિઓમાં કદી પણ ન રાચે. નરકગતિને માનનારા આત્માઓ મહારંભ આદિ ઘોર પાપની પ્રવૃત્તિઓમાં કર્મના યોગે ફસી ગયેલા હોવા છતાં પણ અવસરે અવસરે એ આત્માઓને એ વસ્તુ સંખ્યા વિના રહે જ નહિ. એવી દશા તમારી પોતાની છે કે નહિ એ વિચારો. એ વિચારશો તો જ નરકના હેતુઓથી બચી શકશો. સૂત્રકાર પરમર્ષિ તથા ટીકાકાર મહર્ષિનો પણ નરકના હેતુઓથી બચાવવાનો જ આશય છે : એ આશયને પોતાની જાત માટે સફળ કરવો એ તમારા પોતાના જ હાથમાં છે. બાકીની-ગતિઓમાં કેવી કેવી દશા છે એ વગેરેનું વર્ણન હવે પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004829
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy